AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય સેનાએ આ ભરતી રેલીને રાખી મુલતવી, નવેમ્બરમાં આયોજિત થવાની હતી પરીક્ષા

ભારતીય સેનાએ સોલ્જર જનરલ ડ્યુટી (સોલ જીડી), સોલ્જર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ (સોલ CLK/SKT), સોલ્જર ટ્રેડ્સમેન અને 28 નવેમ્બરે યોજાનારી કોમન એન્ટ્રન્સ પરીક્ષાને મુલતવી રાખવા માટે નોટિસ જારી કરી હતી.

ભારતીય સેનાએ આ ભરતી રેલીને રાખી મુલતવી, નવેમ્બરમાં આયોજિત થવાની હતી પરીક્ષા
ફાઈલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 4:52 PM
Share

ભારતીય સેનાએ 12 નવેમ્બરે સોલ્જર જનરલ ડ્યુટી (સોલ જીડી), સોલ્જર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ (સોલ CLK/SKT), સોલ્જર ટ્રેડ્સમેન અને 28 નવેમ્બરે યોજાનારી કોમન એન્ટ્રન્સ પરીક્ષા (CEE)ને મુલતવી રાખવા માટે નોટિસ જારી કરી હતી.

જોઈન ઈન્ડિયન આર્મીની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ “સોલ જીડી, સોલ (ટેક), સોલ ટીડીએન 10મી અને સોલ ટીડીએન 8મી અને સોલ (ક્લાર્ક/એસકેટી) માટે 28મી નવેમ્બર 2021ના રોજ સામાન્ય પ્રવેશ પરીક્ષા (સીઇઇ) કોવિડ-19ને કારણે રદ કરવામાં આવી છે. નવી તારીખો પછીથી જણાવવામાં આવશે.”

જે ઉમેદવારો ભરતી રેલીઓમાં યોગ્ય જણાય છે તેમના માટે સામાન્ય પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. ઉમેદવારો દ્વારા સબમિટ કરવામાં આવેલ અરજી ફોર્મના આધારે ભરતી રેલી હાથ ધરવામાં આવે છે. આર્મી ભરતી રેલી માટે નોંધણી સત્તાવાર વેબસાઇટ પર ઑનલાઇન કરવામાં આવે છે.

રેલીના સ્થળે જ ઉમેદવારોને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ આપવામાં આવે છે. લેખિત પરીક્ષાનું સ્થળ, તારીખ અને સમય ઉમેદવારોને એડમિટ કાર્ડ દ્વારા જણાવવામાં આવે છે. COVID-19 રોગચાળાને કારણે, ભારતીય સેનાએ 2020-2021 માં આવી ઘણી પ્રવેશ પરીક્ષાઓ મુલતવી રાખી છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી

એરપોર્ટમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક મોટી તક સામે આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ કુલ 90 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં અરજી કરવા માટે, તમે ઓથોરિટીની સત્તાવાર વેબસાઇટ- aai.aero પર જઈ શકો છો.

ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport Authority of India, AAI) દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ, તમે આ પોસ્ટ્સ માટે 30 નવેમ્બર 2021 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો. ઉમેદવારોની પસંદગી ભરતી ટેસ્ટ/મેરિટના આધારે કરવામાં આવશે. આ વિશે વધુ માહિતી માટે, તમે ભારતીય એરપોર્ટ ઓથોરિટીની (Airport Authority of India) સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

આ પણ વાંચો: IIT બોમ્બેની ટીમેને મળી મોટી સફળતી, એલન મસ્કની કાર્બન રિમૂવલ સ્પર્ધામાં 1.8 કરોડનું ઇનામ જીત્યું

આ પણ વાંચો: AAI Recruitment 2021: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">