SBIના ATMમાં પૈસા ઉપાડવાને લઈને આજથી નિયમમાં થઈ ગયો છે ફેરફાર, વાંચો વિગત
ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોની સુરક્ષાને લઈને અગત્યનો નિર્ણય લીધો હતો. પૈસા એટીએમમાંથી નીકાળવાને લઈને નિયમ બદલવામાં આવ્યો છે. એટીએમમાંથી પૈસા નીકાળવા જાઓ ત્યારે મોબાઈલ ફોનમાં એક ઓટીપી આવશે અને ઓટીપી એન્ટર કર્યા બાદ જ પૈસા કાઢી શકાશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]
ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોની સુરક્ષાને લઈને અગત્યનો નિર્ણય લીધો હતો. પૈસા એટીએમમાંથી નીકાળવાને લઈને નિયમ બદલવામાં આવ્યો છે. એટીએમમાંથી પૈસા નીકાળવા જાઓ ત્યારે મોબાઈલ ફોનમાં એક ઓટીપી આવશે અને ઓટીપી એન્ટર કર્યા બાદ જ પૈસા કાઢી શકાશે.
આ પણ વાંચો : દેશની 20 મોટી સંસ્થાએ અનામતમાંથી છૂટ આપવા અંગે સરકારને લખ્યો પત્ર
જો તમારી પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું એટીએમ કાર્ડ છે અને તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાંથી જ પૈસા ઉપાડવા જઈ રહ્યાં છો ત્યારે આ સુવિધાનો ઉપયોગ કરી શકશો. આ સુવિધા સવારના 8 વાગ્યાથી લઈને રાત્રના 8 વાગ્યા સુધી જ લાગૂ રહેશે. અન્ય બેંકના એટીએમ કાર્ડ પર આ સુવિધા મળી શકશે. જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જશો ત્યારે મોબાઈલ ફોનમાં આવેલા ઓટીપી આવશે અને તે ઓટીપી એન્ટર કર્યા બાદ જ પૈસા ઉપાડી શકશો.
કેટલાં રુપિયાની ઉપાડો તો ઓટીપી આવશે?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
હાલ આ સુવિધા ભારતીય સ્ટેટ બેંકના ડેબિટ કાર્ડ પર જ લાગુ કરવામાં આવી છે. જો તમે 10 હજારથી વધારેની રકમ ઉપાડવા ઈચ્છતા હોય તો તમારે ઓટીપી નંબર એટીએમમાં એન્ટર કરવાનો રહેશે. આમ આ સુવિધાને જનતા દ્વારા મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાંક લોકો કહીં રહ્યાં છે કે સુરક્ષાના કારણોસર આ સુવિધા સારી છે અને ઓટીપી હોવાના લીધે કોઈપણ ફ્રોડ નહીં કરી શકે તો અમુક લોકો કહીં રહ્યાં છે ક્યારેક ઈમરજન્સીમાં આ નવા નિયમના લીધે લોકોને પૈસા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]