રેલવેની નવી યોજના, હવે ટિકીટ બુકિંગ વખતે મળશે પૈસાથી જોડાયેલો આ નવો નિયમ!
રસોઈ ગેસની જેમ હવે રેલવેમાં મુસાફરોને સબસિડીનો વિકલ્પ મળશે. રસોઈ ગેસમાં સફળ રહેલી ગિવ ઈટ અપ ઝુંબેશ હવે રેલવેમાં પણ પુરી રીતે લાગૂ કરવાની તૈયારી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રેલવે મંત્રાલય ઓનલાઈન ટિકીટ બુકિંગ પર મુસાફરોને સબસિડી છોડવાનો વિકલ્પ આપવા જઈ રહ્યું છે. IRCTCની વેબસાઈટ પર ટિકીટ ખરીદતી વખતે સબસિડી છોડવાનો વિકલ્પ આપવામાં […]
રસોઈ ગેસની જેમ હવે રેલવેમાં મુસાફરોને સબસિડીનો વિકલ્પ મળશે. રસોઈ ગેસમાં સફળ રહેલી ગિવ ઈટ અપ ઝુંબેશ હવે રેલવેમાં પણ પુરી રીતે લાગૂ કરવાની તૈયારી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રેલવે મંત્રાલય ઓનલાઈન ટિકીટ બુકિંગ પર મુસાફરોને સબસિડી છોડવાનો વિકલ્પ આપવા જઈ રહ્યું છે.
IRCTCની વેબસાઈટ પર ટિકીટ ખરીદતી વખતે સબસિડી છોડવાનો વિકલ્પ આપવામાં આવશે. તે યાત્રી પર નિર્ભર કરશે કે તે સબસિડી લેવા માંગે છે કે નહીં. ભારતીય રેલવે મુસાફરોને ભાડા પર 47 ટકા સબસિડી આપે છે. સબસિડીની ભરપાઈ માલસામાનથી થતી કમાણી દ્વારા કરવામાં આવે છે. તેના માટે સોશિયલ મીડિયા, રેલવે ટિકીટની પાછળ, ટ્રેનની અંદર અને પ્રિન્ટ વિજ્ઞાપનો દ્વારા જાગરૂકતા ફેલાવવામાં આવશે. આ સ્કીમની શરૂઆત આવતા મહિને શરૂ થઈ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તાજેતરમાં જ રેલવે બોર્ડે CIIના એક પ્રોગ્રામમાં કહ્યું હતું કે મુસાફરોના ભાડાને લઈને રેલવે સતત ખોટમાં છે. તે પહેલા સિનીયર સિટીજનને કન્સેશન છોડવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. રેલવે મંત્રાલયના આંકડાઓ મુજબ લગભગ 40 લાખ સિનીયર સિટીજને સબસિડી છોડી દીધી હતી. તેનાથી રેલવેને લગભગ 78 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]