PM MODI આજે IIM સંબલપુરનાં નવનિર્મિત કેમ્પસનું ખાતમુહૂર્ત, 2022 સુધીમાં કાર્ય થશે પૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે IIM સંબલપુરનાં નવનિર્મિત કેમ્પસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે જેનું નિર્માણ કાર્ય 2022 સુધીમાં પુરૂ કરી નાખવામાં આવશે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે જ ટ્વીટ કરીને જાણકારી આપી દીધી હતી કે તે આ કાર્યક્રમનો શિલાન્યાસ કરશે. તેમણે જણાવ્યું કે દેશનાં વિકાસમાં IIM સંસ્થાઓનું યોગદાન ઘણું મોટું છે.
LIVE NEWS & UPDATES
-
PM MODI LIVE- 60 વર્ષમાં માત્ર 55% લોકો પાસે રસોઈ ગેસ, આજે દેશમાં 28 કરોડ કનેક્શન અમે આપ્યા
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 60 વર્ષમાં રસોઈ ગેસને લઈને કઈ કામ નોહતું કરવામાં આવ્યું માત્ર 6 વર્ષમાં 14 કરોડનાં ગેસ કનેક્શન 28 કરોડ કરી નાખવામાં આવ્યા
-
PM MODI LIVE- ખેતીથી લઈ સ્પેસ સુધીમાં આવ્યો સુધારો, મેનેજમેન્ટ એટલે જીંદગી સુધારવી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આજે તક અને પડકાર વધ્યા છે. મેનેજમેન્ટનો મતલબ જીંદગી સુધારવી પણ છે. કોરોનાકાળમાં મેનેજમેન્ટ સ્કીલ જોવા મળી છે. 40 કરોડનાં જનધન ખાતા અને દેશનાં 98% લોકો પાસે ગેસ કનેક્શન એક મોટી વાત છે. હવે લોકોને રસોઈ ગેસ માટે ભાગવું નથી પડતું
-
-
PM MODI LIVE- 2013 સુધી 13 IIM, આજે દેશમાં 20 IIM છે
વડાપ્રધાન મોદી એ જણાવ્યું કે લોકલ ટુ ગ્લોબલ મિશનમાં IIMની ભુમિકા મહત્વની રહેશે. દુનિયા હવે ગ્લોબલ વિઝનમાં ફેરવાઈ રહી છે. દેશ હવે લોન્ગ ટર્મ સોલ્યુશન પર વધારે વિચારે છે. આજે ટેકનોલોજી મેનેજમેન્ટની જરૂર છે.
-
PM MODI LIVE- સંબલપુર પોતે એક પ્રયોગશાળાથી ઓછી નથી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આત્મનિર્ભર ભારતથી જ ઓરીસ્સાનાં વિકાસને વધુ વેગ મળશે. સંબલપુર મેનેજમેન્ટનાં ક્ષેત્રમાં અલગ ઓળખાણ બનાવશે અને જાણીતું પણ થશે. મેનેજમેન્ટની સ્કીલની જરૂર બદલાઈ હી છે. ઈનાવેટીવ અને ટ્રાન્સફોર્મેટીવ મેનેજમેન્ટની જરૂર વધી રહી છે.
-
PM MODI LIVE- IIM સંબલપુર મોટું એજ્યુકેશન હબ બનવા તરફ જઈ રહ્યું છે
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે સંબલપુર મેનેજમેન્ટ દેશભરમાં જાણીતું છે. નવી સંભાવનાઓ અને તક માટે હવે તૈયાર થઈ જવાનો સમય આવી ગયો છે. તેમણે ઓરીસ્સાની પ્રાકૃતિક સંપતિઓ વિશે જણાવીને કહ્યું હતું કે લોકલને ગ્લોબલ બનાવો
-
-
PM MODI LIVE- ભારતનો છવાઈ જવાનો સમય હવે આવી ગયો છે
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આજનાં સ્ટાર્ટ અપ આવતીકાલનાં મલ્ટીનેશનલ પ્રોજેક્ટ બની જશે. ભારત માટે મહત્વનો સમય આવી ગયો છે. આ સદી ભારતનાં મલ્ટી નેશનલનાં નિર્માણ માટેની છે.
-
PM MODI LIVE- આ વર્ષે કોવીડનાં સંકટ વચ્ચે પણ ભારતે વધારે યુનિકોન આપ્યા
IIM સંબલપુરનાં શિલાન્યાસ વિધિ પ્રમાણે તેમણે જણાવ્યું કે ભારતની આશા અને આંકાક્ષાઓ જોડવા સાથે ભારતને નવી બ્રાંડ તરીકે જોડવાની જવાબદારી યુવાનોની છે. IIMનાં વિદ્યાર્થીઓને તેમણે વિકાસની દિશામાં આગળ વધવા માટે અપીલ કરી હતી
Published On - Jan 02,2021 11:37 AM