વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 3.25 લાખ કંપનીઓ બંધ થઈ ગઈ પણ મોદી મુર્દાબાદના નારા કેમ ના લાગ્યા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ TV9 ભારતવર્ષના રાષ્ટ્રીય સંમેલનમાં સંબોધન કરતા જણાવ્યું કે આર્થિક પડકારોને પહોંચી વડવા માટે સરકારે કડક નિર્ણયો લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે જો 1 પણ કંપની બંધ થાય છે ત્યારે લોકો દ્વારા મોટા વિરોધ કરવામાં આવે છે પણ તેમની સરકારે 3.25 લાખ કંપનીઓ બંધ કરાવી દીધી અને કોઈના દ્વારા વિરોધ પણ […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ TV9 ભારતવર્ષના રાષ્ટ્રીય સંમેલનમાં સંબોધન કરતા જણાવ્યું કે આર્થિક પડકારોને પહોંચી વડવા માટે સરકારે કડક નિર્ણયો લીધા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે જો 1 પણ કંપની બંધ થાય છે ત્યારે લોકો દ્વારા મોટા વિરોધ કરવામાં આવે છે પણ તેમની સરકારે 3.25 લાખ કંપનીઓ બંધ કરાવી દીધી અને કોઈના દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો નથી. કારણ કે તે બધી જ કંપનીઓ બોગસ હતી. 1 જ રૂમમાંથી 300-400 કંપનીઓ ચલાવવામાં આવતી હતી.
વધુમાં વડાપ્રધાને જણાવ્યું કે, પહેલા દુનિયાના દેશો નિયમ બનાવતા હતા આપણે તે નિયમ અનુસરવા માટે મજબુર થતા હતા. આજે દુનિયાના નિયમ બનાવવામાં આપણો દેશ મુખ્ય ભૂમિકા ભજવવા માટે આગળ વધી રહ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]