AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pervez Musharraf Death : પરવેઝ મુશર્રફ એમાયલોઇડિસ રોગથી પીડાતા હતા, જાણો શું છે આ બીમારી

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું 79 વર્ષની વયે દુબઈમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી એમાયલોઇડિસ રોગથી પીડિત હતા. આવો જાણીએ શું છે આ બીમારી.

Pervez Musharraf Death : પરવેઝ મુશર્રફ એમાયલોઇડિસ રોગથી પીડાતા હતા, જાણો શું છે આ બીમારી
Pervez Musharraf Death ( file photo)Image Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 1:56 PM
Share

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું દુબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. પાકિસ્તાનના મીડિયાને ટાંકીને આ સમાચાર આપવામાં આવ્યા છે. મુશર્રફ લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. દુબઈની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. પરવેઝ મુશર્રફે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પરવેઝ મુશર્રફ લાંબા સમયથી એમાયલોઇડિસ રોગથી પીડાતા હતા. આ રોગ શું છે. તેના લક્ષણો શું છે. તેની સારવાર કેવી રીતે કરી શકાય? આવો આ વિશે બધું જાણીએ.

એમાયલોઇડિસ રોગ શું છે

આ રોગ દરમિયાન શરીરમાં પ્રોટીન એકઠું થાય છે. આ એક ગંભીર રોગ છે. આ રોગ દરમિયાન શરીરના અંગો ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. એક સંશોધન મુજબ, આ રોગ શરીરમાં એમાયલોઇડ પ્રોટીનના વધારાથી થાય છે. આ રોગ શરીરના એક અથવા એક સાથે ઘણા અવયવોને અસર કરી શકે છે. આ રોગને કારણે, એમીલોઇડ પ્રોટીન શરીરના કોઈપણ ભાગમાં, જેમ કે કિડની, હૃદય અથવા લીવર વગેરેમાં જમા થવા લાગે છે. જેના કારણે શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે. આ રોગ આનુવંશિક હોવાને કારણે કે અન્ય કોઈ કારણથી પણ થઈ શકે છે.

એમાયલોઇડિસ રોગના લક્ષણો

શરીરનો સોજો રહેવો

નબળાઈ અનુભવવી

થાક લાગવો

વજનમાં ઘટાડો થવો

હાંફ ચઢવો

ત્વચાના રંગમાં ફેરફાર થવો

ઇજાને કારણે રક્તસ્રાવ થતો રહેવો

આંખોની આસપાસ ફોલ્લીઓ દેખાય

માયલોઇડિસિસને કેવી રીતે અટકાવવું

આ રોગની સારવાર કરતા પહેલા, ડૉક્ટર સાથે સારી રીતે તપાસ કરાવો. આ રોગની સારવાર દર્દીના શરીર પર તેની અસરના આધારે કરવામાં આવે છે. આ રોગ દરમિયાન, પ્રથમ ઇમેજિંગ પરીક્ષણ કરવામાં આવે છે. આ સાથે અન્ય ઘણા ટેસ્ટ કરવામાં આવે છે. આ પછી દર્દીની સારવાર શરૂ કરવામાં આવે છે. જો આ રોગ દરમિયાન દર્દીની સ્થિતિ વધુ બગડે તો કીમોથેરાપી અથવા સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટનો પણ ઉપયોગ કરી શકાય છે. આ એક ગંભીર રોગ છે. જો આ રોગના લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો. સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવતા રહો. આ રોગની ઘરે સારવાર કરવાને બદલે અથવા તેના લક્ષણોને અવગણવાને બદલે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. અને સારવાર શરુ કરાવવી જોઈએ.

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">