યુદ્ધના માહોલ વચ્ચે ઈમરાન ખાનની પાર્ટીના આ સાંસદે કરી મોદી અને યોગી સરકારની ભરપૂર પ્રશંસા
પુલવામાં આતંકી હુમલા પછી પડોશી દેશ પાકિસ્તાન સાથે સતત તનાવ વધી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનના સાંસદ રમેશ કુમાર બંકવાની શુક્રવારે કુંભ મેળાની મુલાકાતે આવ્યા હતા. જેમને બંને દેશો વચ્ચે શાંતિ અને વાતચીતનો માર્ગ શરૂ થાય તેવી હિમાયત કરી છે. એટલું જ નહીં રમેશ કુમારે કુંભના શાનદાર આયોજન માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રશંસા પણ […]
પુલવામાં આતંકી હુમલા પછી પડોશી દેશ પાકિસ્તાન સાથે સતત તનાવ વધી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનના સાંસદ રમેશ કુમાર બંકવાની શુક્રવારે કુંભ મેળાની મુલાકાતે આવ્યા હતા. જેમને બંને દેશો વચ્ચે શાંતિ અને વાતચીતનો માર્ગ શરૂ થાય તેવી હિમાયત કરી છે. એટલું જ નહીં રમેશ કુમારે કુંભના શાનદાર આયોજન માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રશંસા પણ કરી છે.
બંકવાનીએ પોતાનો કુંભ અંગેનો અનુભવ વ્યક્ત કરતાં કહ્યું કે, હું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને શુભેચ્છા પાઠવું છું. કારણ કે જે પ્રમાણે કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર પ્રશંસાપાત્ર છે. આ સાથે જ તેમણે બંને દેશ વચ્ચે શાંતિ અને વિકાસની દિશામાં આગળ વધે તેવી પણ આશા વ્યક્ત કરી છે. અત્રે નોંધનીય છે કે રમેશ કુમાર પાકિસ્તાનની ઈમરાન ખાનની સત્તાધારી પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સભ્ય છે.
પુલાવામાં આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે બગેડલા સંબંધ પર તેમણે કહ્યું કે, બંને દેશ વચ્ચે એક મધ્યસ્થી તરીકે હું રહેવા માટે તૈયાર છું. આ ઘટના માટે ચોક્કસ વાતચીત થવી જ જોઇએ. પાક સાંસદ રમેશ કુમાર પોતાની ભારત યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે પણ મુલાકાત કરવાના છે.
તાજેતરમાં પ્રયાગરાજમાં આયોજીત અર્ધ કુંભમાં પાકિસ્તાન સહિત 191 દેશોના પ્રતિનિધિઓ ભારત આવ્યા છે. જેમાં પણ પાકિસ્તાનના પ્રતિનિધિઓની કાશ્મીરના પુલાવામા ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં આગમન ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
[yop_poll id=1728]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]