મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારના પ્રધાન મંડળનું બીજી વખત વિસ્તરણ, શિવસેનાને આ રીતે ખૂશ કરવાની થઈ કોશિશ
મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારના પ્રધાન મંડળનું બીજી વખત વિસ્તરણ કરાયું. જેમાં 13 નવા પ્રધાનો શપથ ગ્રહણ કર્યા. જેમાં 8 પ્રધાનોને કેબિનેટ પ્રધાન બનાવાયા જ્યારે પાંચ પ્રધાનોને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવાયા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવનાર શિરડીના ધારાસભ્ય રાધાકૃષ્ણ વિખે પાટીલને પણ કેબિનેટ પ્રધાન બનાવી દેવાયા છે. આ ઉપરાંત રાકાંપામાંથી શિવસેનામાં સામેલ થયેલા જયદત્ત ક્ષીરને પણ […]
મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારના પ્રધાન મંડળનું બીજી વખત વિસ્તરણ કરાયું. જેમાં 13 નવા પ્રધાનો શપથ ગ્રહણ કર્યા. જેમાં 8 પ્રધાનોને કેબિનેટ પ્રધાન બનાવાયા જ્યારે પાંચ પ્રધાનોને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવાયા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવનાર શિરડીના ધારાસભ્ય રાધાકૃષ્ણ વિખે પાટીલને પણ કેબિનેટ પ્રધાન બનાવી દેવાયા છે. આ ઉપરાંત રાકાંપામાંથી શિવસેનામાં સામેલ થયેલા જયદત્ત ક્ષીરને પણ પ્રધાન બનાવાયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ ગુજરાતમાં 5 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી કે ‘રાજરમત’, જાણો કેવી રીતે બંને બેઠક પર ભાજપ જીત મેળવશે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભાજપના 6 નેતાઓને કેબિનેટ અને 4ને રાજ્યમંત્રી બનાવવાયા છે. સાથે જ શિવસેનાના ક્વોટામાંથી 2ને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. RPIના ક્વોટામાંથી એક રાજ્યમંત્રીને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. ભાજપે આ વિસ્તારમાં અંદાજે 4 મહિના પછી યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સાથી દળોને ખુશ કરવાના પ્રયાસ કર્યા.