નવસારીમાં દીપડાની દહેશતથી લોકોમાં ભયનો માહોલ, દીપડાને ઝડપી પાડવા કવાયત શરૂ
નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં એક દીપડાએ આતંક મચાવ્યો છે. આ દીપડાને ઝડપી પાડવા કામગીરી શરૂ કરવામાં આવી છે. વનવિભાગ તેમજ પોલીસની ટીમે દીપડાને પકડી પાડવા અલગ-અલગ જગ્યાએ પિંજરા મૂક્યા છે. આ દીપડાને બેભાન કરી તેને કેદ કરવા હથિયાર સાથે પણ વનવિભાગની ટીમને તૈયાર કરવામાં આવી છે. આ પણ વાંચો: 23 મેના રોજ કયા-કયા નેતા આપશે મોદીનો સાથ […]
નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં એક દીપડાએ આતંક મચાવ્યો છે. આ દીપડાને ઝડપી પાડવા કામગીરી શરૂ કરવામાં આવી છે. વનવિભાગ તેમજ પોલીસની ટીમે દીપડાને પકડી પાડવા અલગ-અલગ જગ્યાએ પિંજરા મૂક્યા છે. આ દીપડાને બેભાન કરી તેને કેદ કરવા હથિયાર સાથે પણ વનવિભાગની ટીમને તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો: 23 મેના રોજ કયા-કયા નેતા આપશે મોદીનો સાથ અને કોણ કરશે મોદીનો વિરોધ? જાણો 23 મેનું પૂરુ ગણિત
નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં સર્કિટ હાઉસ નજીક આ દીપડો દેખાયો હતો. જ્યાં દીપડાએ એક વ્યકિત પર હુમલો કરી તેને ઈજાગ્રસ્ત પણ કર્યો હતો અને બાદમાં નજીકના મકાનમાં ઘૂસી ગયો હતો. અત્યારે લોકોમાં દીપડાની દહેશતના કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વનવિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી દીપડાને ઝડપી પાડવા કામગીરી હાથ ધરી છે.