મોડે મોડે ગુજરાત સરકારે કરી જાહેરાત, ખાદીના વેચાણ પર અપાશે 20 ટકા વળતર
ગુજરાત સરકારે આગામી 5 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખાદીના વેચાણમાં 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે. સામાન્ય રીતે ગુજરાત સરકાર બીજી ઓક્ટોબર પૂર્વે જ ખાદીના વેચાણ ઉપર વળતર આપવાની જાહેરાત કરતી હોય છે. પરંતુ આ વર્ષે 1લી ઓક્ટોબર સુધી સત્તાવાર કોઈ જાહેરાત ના કરતા, ખાદી ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌ કોઈએ વળતર બાબતે ચિંતા કરવા […]
ગુજરાત સરકારે આગામી 5 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખાદીના વેચાણમાં 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે. સામાન્ય રીતે ગુજરાત સરકાર બીજી ઓક્ટોબર પૂર્વે જ ખાદીના વેચાણ ઉપર વળતર આપવાની જાહેરાત કરતી હોય છે. પરંતુ આ વર્ષે 1લી ઓક્ટોબર સુધી સત્તાવાર કોઈ જાહેરાત ના કરતા, ખાદી ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌ કોઈએ વળતર બાબતે ચિંતા કરવા સાથે સરકારી વ્યવસ્થાની ટીકા કરી હતી. જો કે ગુજરાત સરકારે આજે ખાદી ઉપર 20 ટકા વળતર આપવાની સત્તાવાર જાહેરાત કરતા ખાદી ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌ કોઈએ રાહત અનુભવી હતી. ગુજરાત સરકારની જાહેરાતને પગલે, ખાદી વણાટ અને ખાદી વસ્ત્ર ઉદ્યોગ દ્વારા આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારોને આર્થિક ટેકો મળી રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો