કોરોના વાઈરસનું જોખમ ઓછું થાય તે માટે રેલવેએ AC ટ્રેનમાં કર્યો મોટો ફેરફાર
કોરોના વાઈરસની મહામારી વચ્ચે રેગ્યુલર ટ્રેન તો રદ કરવામાં આવી છે પણ સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે. કોરોના વાઈરસનું જોખમ ઓછું થાય તેના માટે ભારતીય રેલવે પણ પ્રયાસ કરી રહી છે. જે લોકો AC ટ્રેનમાં યાત્રા કરે છે તેમના માટે રેલવેએ એક મોટો ફેરફાર કોચમાં કર્યો છે. રેલવેના સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર આ નવા […]

કોરોના વાઈરસની મહામારી વચ્ચે રેગ્યુલર ટ્રેન તો રદ કરવામાં આવી છે પણ સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે. કોરોના વાઈરસનું જોખમ ઓછું થાય તેના માટે ભારતીય રેલવે પણ પ્રયાસ કરી રહી છે. જે લોકો AC ટ્રેનમાં યાત્રા કરે છે તેમના માટે રેલવેએ એક મોટો ફેરફાર કોચમાં કર્યો છે. રેલવેના સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર આ નવા ફેરફારથી કોચની અંદર કોરોના વાઈરસના સંક્રમણનું જોખમ ઓછું થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પહેલાં શું હતો ખતરો? ઘણાં એવા સર્વેમાં એ વાત સામે આવી હતી કે સેન્ટ્રલાઈઝ AC લગાવવામાં આવે તો કોરોના વાઈરસનું જોખમ વધી જાય છે. જો કે આ સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવવામાં આવે તેના પ્રયત્નો થઈ રહ્યાં હતા. કોરોના વાઈરસના લીધે પ્લેનના એસી સિસ્ટમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રેલવેના કોચના એસીમાં શું નવો ફેરફાર કરવામાં આવ્યો? રેલવેએ આ ટેકનોલોજીને રુફ માઉન્ટેડ એસી પેકેજ(RMPU) નામ આપ્યું છે. આ ટેકનોલોજીની મદદથી દર કલાકે 16થી 18 વખત કોચમાં નવી હવા ભરવામાં આવે છે. આમ લોકોને સતત બહારની શુદ્ધ હવા મળી રહે છે. પહેલાં આ કામ દર કલાકે 6થી 8 વખત જ કરવામાં આવતું હતું. જો કે કોરોના વાઈરસની મહામારીના લીધે ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે દર કલાકે 16થી 18 વખત કોચની હવાને બદલવામાં આવશે. જો કે આ ટેકનોલોજીના લીધે રેલવેમાં 10થી 15 ટકા વધારે ઉર્જાનો ખર્ચ થશે. આ ઉપરાંત જે પહેલાં તાપમાન 23 ડિગ્રી રાખવામાં આવતું હતું તે હવે 25 ડિગ્રી રહેશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
