ધો.12 અને ગ્રેજ્યુએટ થયા પછી ઈન્ડિયન એરફોર્સમાં પાયલોટ કેવી રીતે બનવું, જુઓ VIDEO
ભારતીય વાયુ સેનાની સાથે કામ કરવું એ ગૌરવની વાત છે. વાયુ સેનામાં મુખ્યત્વે ત્રણ વિભાગમાં કામ થાય છે જેમાં પાયલોટ બનવા માટે ફ્લાઈંગ બ્રાંચમાં જોડાવાનું રહે છે. ફ્લાઈંગ બ્રાંચની સાથે અન્ય બે બ્રાંચ જેવી કે ટેક્નિકલ અને ગ્રાઉન્ડ ડ્યુટીનો પણ સમાવેશ થાય છે. Web Stories View more આ બેટ્સમેનોએ T20Iમાં પોતાના દેશ માટે ફટકારી […]

ભારતીય વાયુ સેનાની સાથે કામ કરવું એ ગૌરવની વાત છે. વાયુ સેનામાં મુખ્યત્વે ત્રણ વિભાગમાં કામ થાય છે જેમાં પાયલોટ બનવા માટે ફ્લાઈંગ બ્રાંચમાં જોડાવાનું રહે છે. ફ્લાઈંગ બ્રાંચની સાથે અન્ય બે બ્રાંચ જેવી કે ટેક્નિકલ અને ગ્રાઉન્ડ ડ્યુટીનો પણ સમાવેશ થાય છે.
ભારતીય વાયુ સેનામાં પાયલોટ બનવા માટે બે રસ્તાઓ છે જેમાં એક ધોરણ 12 સાયન્સ પછીનો છે તો બીજો રસ્તો ગ્રેજ્યુએટ થયા પછીનો છે. આવો સમજીએ કેવી અને કઈ પરિક્ષા બાદ પાયલોટ બની શકાય.
ગ્રેજ્યુએશન પછી પાયલોટ કેવી રીતે બની શકાય?
આ પણ વાંચો: રાજસ્થાનમાં સરકાર બદલવાની સાથે જ દેશના શહીદો હવે નથી રહ્યાં ‘વીર’
જો તમે ગ્રેજ્યૂએટ છો તો તમારા માટે વાયુ સેનામાં પાયલોટ બનવાનો મોકો છે. વાયુસેના દ્વારા એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ એટલે કે AFCAT(એફકેટ)નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. CDS એટલે કે કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ પરિક્ષા આપીને પણ તમે વાયુ સેનાની ફ્લાઈંગ બ્રાંચ સાથે જોડાઈને પાયલોટ બની શકાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
12માં ધોરણ પછી પાયલટ કેવી રીતે બની શકાય?
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો ધો 12 પછી પાયલોટ બનવાની ઈચ્છા હોય તો સાયન્સ પ્રવાહની સાથે શિક્ષણ લેવાનું રહે અને તેમાં 70 ટકાથી વધારે ગુણ મેળવવા જરુરી છે. નેશનલ ડિફેન્સ એકેડમી દ્વારા એક પરિક્ષા લેવામાં આવે છે અને તેને પાસ કર્યા બાદ 74 સપ્તાહની ટ્રેનિંગ લીધા બાદ પાયલોટ બની શકાય છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]