વેરો ન ભરતાં હિંમતનગર શહેર પાલિકાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું કાર્યાલય સીલ કરી દીધું

|

Feb 23, 2019 | 2:31 PM

હિંમતનગર શહેરની નગર પાલીકાએ 36 જેટલી મિલકતોના બાકી મિલકત વેરાને લઇને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આંતરરષ્ટ્રીય હિન્દુ પરીષદના જીલ્લા કાર્યાલય અને જીલ્લા સહકાર હોલ અને ગુજરાત વેરહાઉસીંગના ટેકાના ભાવની ખરીદ કરેલ મગફળીના ગોડાઉનને પણ સીલ મારી દીધુ હતુ. એએચપીના જીલ્લા કાર્યાલય કે જ્યાં પહેલા વિએચપીનું કાર્યાલય સંચાલીત હતું તે કાર્યાલયને પણ છેલ્લા […]

વેરો ન ભરતાં હિંમતનગર શહેર પાલિકાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું કાર્યાલય સીલ કરી દીધું

Follow us on

હિંમતનગર શહેરની નગર પાલીકાએ 36 જેટલી મિલકતોના બાકી મિલકત વેરાને લઇને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આંતરરષ્ટ્રીય હિન્દુ પરીષદના જીલ્લા કાર્યાલય અને જીલ્લા સહકાર હોલ અને ગુજરાત વેરહાઉસીંગના ટેકાના ભાવની ખરીદ કરેલ મગફળીના ગોડાઉનને પણ સીલ મારી દીધુ હતુ.

એએચપીના જીલ્લા કાર્યાલય કે જ્યાં પહેલા વિએચપીનું કાર્યાલય સંચાલીત હતું તે કાર્યાલયને પણ છેલ્લા દશ વર્ષથી બાકી વેરાને લઇને સીલ મારવાની કાર્યવાહી નગર પાલીકાના વેરા વિભાગે કરી હતી. એએચપીના કાર્યાલયની મિલકતની 76 હજાર જેટલી રકમ ચઢી જવાને લઇને કાર્યવાહી હાથ ધરી હતી અને કાર્યાલયના દરવાજે નોટીસ ચિપકાવી હતી. એએચપી કાર્યાલય ઉપરાંત જીલ્લા સહકારી સંઘના સહકાર હોલને પણ બાકી વેરાને લઇને સીલ મારી દેવામાં આવ્યુ હતુ. સહકાર હોલએ શહેરનો ઉપયોગી હોલ નિવડ્યો હતો અને તે જાણીતા હોલમાં જીલ્લામાં ગણના કરવામાં આવે છે.

આ ઉપરાંત શહેરમાં ખેડ તાશીયા રોડ પર આવેલા માર્કેટયાર્ડ નજીકના એક ગોડાઉનને પણ સીલ કરી દેવામાં આવ્યુ હતુ. ગુજરાત રાજ્ય વેરહાઉસીંગ કોર્પોરેશનની કચેરી અને ગોડાઉનને પણ સીલ મારી દેવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે હાલમાં વેર હાઉસીંગના આ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો ઝથ્થો પણ સરકારે સાચવવા માટે મુકેલો છે. આમ વેરહાઉસીંગના કર્મચારીઓ અને અધીકારીઓએ તો આજે ચોથા શનિવારની રજા હોવાને લઇને ગેર હાજર હતા પરંતુ હવે સોમવારથી તેમણે કચેરી ખોલવા અંગે મુશ્કેલી સર્જાય તેવી સ્થિતી સર્જાઇ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ અંગે હિંમતનગર શહેર નગરપાલીકાના વેરા વસુલાત અધિકારી હેમંત ધુવાડના મુજબ આ તમામ મિલકત ધારકોને અમે અવાર નવાર નોટીસો આપવા છતાં પણ તેનો અમલ કરીને વેરો ભરપાઇ કરવામાં આવતો નહોતો અને જેને લઇને આખરે અમે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

[yop_poll id=1740]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article