દિવાળીનો તહેવાર.. મોંઘવારીનો માર! ફરસાણના ભાવોમાં ધરખમ વધારો
દિવાળીના તહેવારમાં ફરસાણ બનાવવાનું પણ એક અલગ મહત્વ છે. જોકે મહામારીમાં ફરસાણ બનાવામાં વપરાતી વિવિધ ચીજવસ્તુઓના ભાવોમાં ધરખમ વધારો થયો છે. ખાસ કરીને દિવાળીના તહેવારમાં ઉતરસંડાના મઠીયાનું ભારે ચલણ જોવા મળતું હોય છે. આ વખતે મઠીયાની કીંમતમાં કિલોએ 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. વેપારીઓનું માનવું છે કે અતિવૃષ્ટિ અને ત્યારબાદ થયેલા માવઠાએ અડદ સહિતના […]
દિવાળીના તહેવારમાં ફરસાણ બનાવવાનું પણ એક અલગ મહત્વ છે. જોકે મહામારીમાં ફરસાણ બનાવામાં વપરાતી વિવિધ ચીજવસ્તુઓના ભાવોમાં ધરખમ વધારો થયો છે. ખાસ કરીને દિવાળીના તહેવારમાં ઉતરસંડાના મઠીયાનું ભારે ચલણ જોવા મળતું હોય છે. આ વખતે મઠીયાની કીંમતમાં કિલોએ 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. વેપારીઓનું માનવું છે કે અતિવૃષ્ટિ અને ત્યારબાદ થયેલા માવઠાએ અડદ સહિતના વિવિધ કઠોળના પાકને નુકસાન પહોંચાડ્યું, જેના પગલે દાળના ભાવો આસમાને પહોંચ્યા છે. આજ કારણથી મઠીયાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્પાદકો અને વેપારીઓ પણ માની રહ્યા છે કે મહામારી સાથે માવઠાએ પણ આ વખતે મઠીયાની મજા બગાડી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો