રાજ્યમાં માવઠાના કારણે પાક નુકસાનની ખેડૂતોને સહાય, CM રૂપાણીએ વડોદરામાં ખેડૂતોને સહાયની કરી ચૂકવણી
રાજ્યમાં માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતોને આજથી રાહતનો મલમ મળશે. રાજ્ય સરકાર ખેડૂતોને આજથી પાક નુકસાનીનું વળતર ચુકવશે. મુખ્યપ્રધાનથી માંડીને રાજ્યના પ્રધાનો અનેક સ્થળેથી આ ચૂકવણી કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં ખેડૂતોને સીધી સહાય ચૂકવી. આ પણ વાંચોઃ આસામમાં દેશનું સૌથી મોટું ડિટેન્શન સેન્ટર થઈ રહ્યું છે તૈયાર, જાણો કેટલા ઘૂસણખોરોને અહીં રખાશે? […]
રાજ્યમાં માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતોને આજથી રાહતનો મલમ મળશે. રાજ્ય સરકાર ખેડૂતોને આજથી પાક નુકસાનીનું વળતર ચુકવશે. મુખ્યપ્રધાનથી માંડીને રાજ્યના પ્રધાનો અનેક સ્થળેથી આ ચૂકવણી કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં ખેડૂતોને સીધી સહાય ચૂકવી.
તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મહેસાણામાં, કૃષિ પ્રધાન આર.સી. ફળદુ રાજકોટમાં અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકામાં ખેડૂતોને પાક નુકસાનીની સહાય આપશે. કૃષિ પ્રધાને ખેડૂતોને વિનંતી પણ કરી હતી કે જે ખેડૂતોએ પાક નુકસાની માટે અરજી નથી કરી તે ખેડૂતો વહેલી તકે અરજી કરી અને સરકારી સહાયનો લાભ લઈ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો