સુરતીઓ દિલ સે.. હ્રદય ડોનેટ કરવામાં સુરતીઓ સૌથી આગળ, વાંચો કેટલા લોકોનાં હ્રદયમાં જીવે છે સુરતીઓ

સુરતીઓની દિલદારી ખાવામાં હોય કે પછી દાન કરવામાં કે પછી કોઈને જીવન આપવાની વાત કેમ ન હોય સુરતીઓ હંમેશા દિલ સે રહે છે. આ જ કારણ છે કે સુરતીઓ હ્રદય ડોનેટ કરવામાં સૌથી આગળ છે અને એટલે જ અંગદાનને મહાદાન કહેવાયું છે. સુરતમાં આવા જ એક વ્યક્તિ છે જે છેલ્લા 15 વર્ષથી અંગદાનના આ ભગીરથ […]

સુરતીઓ દિલ સે.. હ્રદય ડોનેટ કરવામાં સુરતીઓ સૌથી આગળ, વાંચો કેટલા લોકોનાં હ્રદયમાં જીવે છે સુરતીઓ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:31 AM

સુરતીઓની દિલદારી ખાવામાં હોય કે પછી દાન કરવામાં કે પછી કોઈને જીવન આપવાની વાત કેમ ન હોય સુરતીઓ હંમેશા દિલ સે રહે છે. આ જ કારણ છે કે સુરતીઓ હ્રદય ડોનેટ કરવામાં સૌથી આગળ છે અને એટલે જ અંગદાનને મહાદાન કહેવાયું છે. સુરતમાં આવા જ એક વ્યક્તિ છે જે છેલ્લા 15 વર્ષથી અંગદાનના આ ભગીરથ કાર્ય માટે કામ કરી રહ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આજે વર્લ્ડ હાર્ટ ડે છે. ત્યારે સુરતના નિલેશ માંડલેવાળા જેઓ વર્ષ 2005થી સુરતમાં ડોનેટ લાઈફ નામની સંસ્થા ચલાવે છે. આજે તેમના વિશે વાત કર્યા વિના કેમ ચાલે ? કારણ કે છેલ્લા 15 વર્ષમાં તેમણે 759 લોકોને જીવનદાન આપ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિનું બ્રેઇન ડેડ એટલે કે નાનું મગજ કામ કરતું બંધ થઈ જાય ત્યારે તેવા વ્યક્તિના પરિવારને સમજાવીને તેમના અંગો ડોનેટ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. મૃત્યુ પછી વ્યક્તિના જીવિત રહેવાનો આ એકમાત્ર જ તો વિકલ્પ છે.

આજે જ્યારે વર્લ્ડ હાર્ટ ડે છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી 34 હૃદય ડોનેટ થયા છે જેમાં સૌથી વધુ 27 હૃદય સુરતથી ડોનેટ કરવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 2015માં 1, 2016માં 6, 2017માં 9, 2018માં 5, 2019માં 4 અને 2020માં 2 હૃદય ડોનેટ કરવામાં આવ્યા છે.

સૌથી સુખદ કિસ્સો યુક્રેનમાં રહેતી નતાલિયા ઓમેલચુકની છે. જેની 2017માં ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. અને તેને હૃદય આપ્યું હતું સુરતના બ્રેઇન ડેડ થયેલા રવિ દેવાણીએ. રવિ અને નતાલિયાના પરિવાર એકબીજાથી અજાણ હતા પણ હાર્ટ ડોનેટ કર્યા પછી ભલે તેઓ એકબીજાની ભાષા સમજતા નથી પણ તેમની વચ્ચે દિલનો સંબંધ જોડાઈ ગયો છે.

એજ પ્રમાણે ડોનેટ લાઈફ દ્વારા 5 સપ્ટેમ્બર 2017 ના દિવસે સોમનાથ નામના ૧૪ મહિનાના બ્રેનડેડ બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું હતું સોમનાથ નું હૃદય સાડા ત્રણ વર્ષની આરાધ્યા મુલે નામની મુંબઈની બાળકીમાં ડો. અન્વય મુલે દ્વારા કરવામાં આવ્યું હતું. આરાધ્યના હૃદયના ટ્રાન્સપ્લાન્ટને ત્રણ વર્ષ પુરા થયા છે. આરાધ્યને તેના તંદુરસ્ત આયુષ્ય માટે ડોનેટ લાઈફ શુભકામનાઓ પાઠવે છે તેમજ સ્વ. સોમનાથના પરિવારને નતમસ્તક વંદન કરે છે.

દેશમાં એક વર્ષમાં અંદાજે 5 લાખ લોકો અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. ત્યારે આજે પણ લોકો અવયવો ન મળતા મૃત્યુ પામી રહ્યા છે. અંદાજે 1 લાખ લોકો બ્રેઇનડેડ થઈને મૃત્યુ પામે છે પણ અંગદાનની જાગૃતિ ન હોવાના કારણે ભારતમાં ફક્ત 1% જ અંગદાન થઈ રહ્યું છે. ત્યારે આવો એક પ્રણ લઈએ કે જયારે કોઈ વ્યક્તિ બ્રેનડેડ થાય ત્યારે તેના અંગોનું દાન કરાવીને ઓર્ગન ડોનેટ કરીને દર્દીઓને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">