કોરોના સામે લડવા ભારતીય રેલવે સજ્જ! ટ્રેનના કોચને બનાવવામાં આવ્યા આઈસોલેશન વોર્ડ
કોરોના સામે લડવા હવે ભારતીય રેલવે મેદાનમાં આવી છે. હાલ દેશમાં પેસેન્જર ટ્રેનો બંધ કરી દેવાઈ છે, ત્યારે ટ્રેનના કોચને આઈસોલેશન વોર્ડમાં ફેરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. નોર્થ સેન્ટ્રલ રેલવે (NCR)ના જનરલ મેનેજર રાજીવ ચૌધરીના જણાવ્યા અનુસાર, ડોક્ટરો સાથે મસલત કર્યા બાદ રેલવે નવી દિલ્હીના કોચિંગ ડેપોને આઈસોલેશન વોર્ડમાં તબદિલ કરવા પ્રયાસ કરી […]
કોરોના સામે લડવા હવે ભારતીય રેલવે મેદાનમાં આવી છે. હાલ દેશમાં પેસેન્જર ટ્રેનો બંધ કરી દેવાઈ છે, ત્યારે ટ્રેનના કોચને આઈસોલેશન વોર્ડમાં ફેરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. નોર્થ સેન્ટ્રલ રેલવે (NCR)ના જનરલ મેનેજર રાજીવ ચૌધરીના જણાવ્યા અનુસાર, ડોક્ટરો સાથે મસલત કર્યા બાદ રેલવે નવી દિલ્હીના કોચિંગ ડેપોને આઈસોલેશન વોર્ડમાં તબદિલ કરવા પ્રયાસ કરી રહી છે. ટ્રેનના સ્લીપર કોચમાં થોડા સુધારા-વધારા કરીને તેને કોવિડ-19ના દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ પગલાંથી આપણે ગમે તેવી ઈમરજન્સીને પહોંચી શકીશું.
આ પણ વાંચો: VIDEO: કોરોના વાઈરસને પગલે RBIનો મોટો નિર્ણય, લોનનો EMI ચુકાવવામાં 3 મહિનાની છુટ
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો