AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM RUPANI એ કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જાહેરાત કરી

Mukhyamantri Bal Seva Yojana : કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોને 18 વર્ષ સુધી માસિક રૂ.4000 ની સહાય આપવામાં આવશે, તેમજ 18 થી 24 વર્ષ સુધી રૂ.6000 ની સહાય આપવામાં આવશે.

CM  RUPANI એ કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જાહેરાત કરી
CM Vijay Rupani (FILE PHOTO)
| Updated on: May 29, 2021 | 9:27 PM
Share

કોરોના મહામારીમાં અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે માસિક ભથ્થા સહીતની સહાયની જાહેરાત કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) એ પણ રાજ્યમાં આવા બાળકો માટે સહાયની જાહેરાત કરતા મુખ્યમંત્રી બાળ સેવા યોજના (Mukhyamantri Bal Seva Yojana) ની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજના Mukhyamantri Bal Seva Yojana ની જાહેરાત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani)એ કહ્યું કે આ યોજના હેઠળ કોરોના મહામારીમાં માતા પિતા ગુમાવી ચુકેલા એટલે કે અનાથ થયેલા બાળકો માટે રાજ્ય સરકાર માસિક ભથ્થા સહીતની સહાય આપશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે કેન્દ્ર સરકારની જેમ જ રાજ્ય સરકારે પણ અવ બાળકો પ્રત્યે સંવેદના દાખવતા આ યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના 30 મે થી જ લાગુ કરવામાં આવશે એમ મુખ્યપ્રધાને જણાવ્યું છે.

અનાથ બાળકોને મળશે આ લાભો Mukhyamantri Bal Seva Yojana અંતર્ગત કોરોનાને કારણે માતાપિતા ગુમાવી ચુકેલા બાળકોને રાજ્ય સરકાર વતી મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) દ્વારા આ પ્રમાણે સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે –

1)આવા બાળકોને 18 વર્ષ સુધી માસિક રૂ.4000 ની સહાય આપવામાં આવશે, તેમજ 18 થી 24 વર્ષ સુધી રૂ.6000 ની સહાય આપવામાં આવશે.

2) વિદેશ અભ્યાસ માટે અગ્રતા આપવામાં આવશે, આવકમર્યાદા રાખવામાં આવશે નહિ તેમજ વિદેશ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજના (MYSY) અંતર્ગત 50 ટકા ફીણ સહાય આપવામાં આવશે.

3) નિરાધાર થયેલી કન્યાઓ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળામાં પ્રવેશમાં અગ્રતા તેમજ છાત્રાલયનો ખર્ચ સરકાર આપશે. રાજ્ય સરકારની “કુંવરબાઈનું મામેરું” યોજનામાં આવી કન્યાઓને અગ્રતા આપવામાં આવશે.

4)આવા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ યોજના તેમજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત મફત રાશન આપવામાં આવશે.

5) આવા 14 વર્ષથી ઉપરના બાળકો માટે વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી ઉપરના બાળકો માટે સ્કીલ ડેવલોપમેન્ટની તાલીમ આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર તરફથી અનાથ બાળકોને મળશે આ લાભો કોરોનાને કારણે અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી સહાય મૂજબ આવા બાળકો 18 વર્ષના થશે ત્યારે માસિક ભથ્થું આપવામાં આવશે અને જ્યારે તેઓ 23 વર્ષના થશે ત્યારે પીએમ કેયર્સ ફંડ (PM CARES) માંથી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમના માટે મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે.

આવા બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી પાંચ લાખનો મફત આરોગ્ય વીમો પણ મળશે. આ સાથે આવા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન મેળવવા માટે મદદ કરવામાં આવશે અને પીએમ કેયર્સ ફંડ દ્વારા વ્યાજ વહન કરવામાં આવશે.

આ પણ વાંચો : Corona થી અનાથ થયેલા બાળકો માટે મોદી સરકારની મોટી જાહેરાત, મફત શિક્ષણ, માસિક ભથ્થું અને 10 લાખ રૂપિયા

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">