ગાંધીનગર : 15 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત ભાજપનું નવું માળખું થઈ શકે છે જાહેર

|

Jan 21, 2020 | 5:58 PM

કિંજલ મિશ્રા | અમદાવાદ,  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે પી નડ્ડાએ સુકાન સંભાળ્યુ છે.  અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળતાની સાથે તમામ રાજ્યના મુખ્યપ્રધાન સાથે બેઠક પણ તેઓએ દિલ્હી ખાતે કરી છે.  રાજ્યોના સંગઠન માળખા વિશે પણ જાણકારી મેળવી છે.  ત્યારે 15 ફેબુઆરી સુધીના ગુજરાત પ્રદેશ સંગઠન નવુ મળખુ અસ્તિત્વમાં આવે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી […]

ગાંધીનગર : 15 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત ભાજપનું નવું માળખું થઈ શકે છે જાહેર
તસવીર પ્રતીકાત્મક છે

Follow us on

કિંજલ મિશ્રા | અમદાવાદ,  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે પી નડ્ડાએ સુકાન સંભાળ્યુ છે.  અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળતાની સાથે તમામ રાજ્યના મુખ્યપ્રધાન સાથે બેઠક પણ તેઓએ દિલ્હી ખાતે કરી છે.  રાજ્યોના સંગઠન માળખા વિશે પણ જાણકારી મેળવી છે.  ત્યારે 15 ફેબુઆરી સુધીના ગુજરાત પ્રદેશ સંગઠન નવુ મળખુ અસ્તિત્વમાં આવે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચો :   ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરબદલ પહેલા ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને યોજાઈ બેઠક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ગુજરાત ભાજપ સંગઠન સંરચનાનું કોકડું ગુંચવાયુ છે.  ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિવાદ તથા સંકલનના અભાવના કારણે હજુ સુધી જિલ્લા પ્ર્મુખના નામોની પણ જાહેરાત થઈ શકી નથી. જો કે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળ્યા બાદ જે.પી નડ્ડાએ તમામ રાજયની સંગઠન સંરચના પર ભાર મૂક્યો છે.  તો હવે ફેબ્રુઆરીમાં દિલ્હી ખાતે મળનારી પ્રતિનિધી સભા પહેલા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરવામા આવશે.  જો કે પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર કરતા પહેલાં કેન્દ્રમાથી નક્કી કરાયેલા નિરિક્ષકો ગુજરાત મુલાકાતે આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એક શકયતા પ્રમાણે પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીને ફરી રીપીટ કરી શકાય તેમ છે. જો રીપીટ કરવામાં ન આવે તો પણ ભાજપના પ્રમુખ તરીકે પાટીદાર નેતાને જ સુકાન સોપાય એવી સંભાવના વ્યક્ત કરવામા આવી રહી છે.  જેમા રજની પટેલ , પ્રફુલ પટેલનું નામ મોખરે ચાલી રહ્યું છે. આ બાજુ મનસુખ માંડવીયાના નામ પર પણ વિચારણા ચાલી રહી છે.  સંગઠનમાંથી છેલ્લાં કેટલાંય સમયથી નિષ્ક્રિય રહેલા તેમજ નકારાત્મક વલણ ધરાવનાર નેતાઓની બાકબાકી કરવાનો પણ નિર્ણય લેવાયો છે.

આ બાજુ જે કોંગ્રેસમાંથી ભાજપના આવેલા નેતાઓને સંગઠનમાં મોકાનું સ્થાન ન આપવાની પણ વિચારણા પાર્ટી કરી રહી છે. મહત્વનુ છે કે ગુજરાતમાં જે રીતે પેટાચૂંટણીમા ભાજપનો 3 બેઠક ગુમાવવાનો વારો આવ્યો તેમજ CAAનો મુદ્દો કે ખેડૂતોના પ્રશ્નો હોય તે એક બાદ એક સરકાર સામે ચાલી રહેલા આંદોલનો ભાજપ માટે અર્લામ સમાન છે. આવા સંજોગોમાં  સંગઠનના માળખામાં નીચેથી માંડીને ઉપર સુધી મોટા ફેરફાર થઈ શકે તેમ છે.  આમ તો ભાજપની સરકાર હોય કે સંગઠન પાટીદારોનો દબદબો રહ્યો છે પરંતુ વર્તમાન પરિસ્થીતી તેમજ આગામી સમયમાં આવી રહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે સાથે 2022 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમા રાખીને ઓબીસી તથા ક્ષત્રિય નેતાઓને પણ સંગઠનમાં સમાવેશ કરવામા આવશે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:13 pm, Tue, 21 January 20

Next Article