ચૂંટણી પ્રચારની નવી રીતોના મામલે કોંગ્રેસ રહી પાછળ ભાજપે અપનાવ્યો નવો કીમિયો

|

Apr 12, 2019 | 7:29 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રચાર માટે સાથે ઉતરે તો તમને કેવુ લાગશે? સ્વાભાવિક છે બન્ને નેતાઓને રસ્તા ઉપર જનસંપર્ક કરતા જોઇને કોઈને પણ આશ્ચર્ય થાય. ત્યારે આવી જ ઘટના બની અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં જ્યારે ગાંધીનગર લોકસભા સીટ ઉપર પ્રચાર કરવા ભાજપના યુવા મોર્ચા સાથે આ બન્ને મહાનુભાવો જનસંપર્ક માટે નિકળી […]

ચૂંટણી પ્રચારની નવી રીતોના મામલે કોંગ્રેસ રહી પાછળ ભાજપે અપનાવ્યો નવો કીમિયો

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રચાર માટે સાથે ઉતરે તો તમને કેવુ લાગશે? સ્વાભાવિક છે બન્ને નેતાઓને રસ્તા ઉપર જનસંપર્ક કરતા જોઇને કોઈને પણ આશ્ચર્ય થાય.

ત્યારે આવી જ ઘટના બની અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં જ્યારે ગાંધીનગર લોકસભા સીટ ઉપર પ્રચાર કરવા ભાજપના યુવા મોર્ચા સાથે આ બન્ને મહાનુભાવો જનસંપર્ક માટે નિકળી પડયા ત્યારે શહેરવાસીઓ પણ દંગ રહી ગયા હતા.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

ગુજરાતમાં ભાજપે ભલે સ્ટાર પ્રાચારકોની યાદી જાહેર કરી હોય પણ પક્ષને પોતે એ વાતનો અહેસાસ છે કે ગુજરાતમાં તો માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સિવાય બીજા કોઈ નેતા ઉપર ભાજપના મતદારોને વિશ્વાસ નથી અને એટલે જ આ જ વિશ્વાસ જાળવી રાખવા માટે ભાજપના યુવા મોર્ચા હવે નવો કિમિયો અપનાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના કદના કટ આઉટ લઇને કાર્યકર્તાઓ ઘાટલોડીયા વિસ્તારમાં જન સંપર્ક કરવા ઉતરી પડ્યા. સૌથી વધુ યુવા મોર્ચાના કાર્યકર્તાઓએ આ કટ આઉટ લઈને ચાલી રહ્યા હતા, તેઓ આ રણનિતિ અપનાવીને પ્રચાર કરતા જોવા મળ્યા હતા. જેથી બન્ને મહાનુભાવો સ્વયં પ્રચાર કરતા હોય તેવો માહોલ ઉભો થયો હતો.

જે રીતે ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના કટ આઉટનો પ્રયોગ પ્રથમ વખત ડોર ટુ ડોર સંપર્કમાં કર્યો છે. જેથી એક તરફ કાર્યકર્તાઓમાં જોશનો વધારો થયો છે તો બીજી તરફ જનસંપર્ક કાર્યક્રમમાં મતદારો સાથે કનેક્ટ કરવા માટે પણ આ કિમીયો મદદરુપ થઇ રહ્યો છે.

ભાજપના સુત્રો સ્વયં સ્વીકારે છે કે મોદી માસ્ક અને કમળના કટ આઉટ હવે જુના થઈ ગયા,જેથી હવે કાર્યકર્તાઓ સીધી રીતે વડાપ્રધાન મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કટ આઉટનો ઉપયોગ કરી રહ્યા છે, આ નવા કિમીયાનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:28 am, Fri, 12 April 19

Next Article