છત્તીસગઢમાં ભાજપના ‘સાયલેન્ટ’ કેમ્પેઇને ભૂપેશ બઘેલની ખુરશી હચમચાવી કે ‘મહાદેવ એપ’એ માર્યા ?

|

Dec 03, 2023 | 4:12 PM

છત્તીસગઢમાં બઘેલ સરકાર સામે કોઈ નારાજગી જોવા મળી ન હતી. તેવામાં ભાજપ માટે અહીંની ચૂંટણી જીતવી મુશ્કેલ હતી. શરૂઆતમાં ભાજપ પાસે મુદ્દાઓની કમી જણાતી હતી, પરંતુ અન્ય રાજ્યોની જેમ અહીં પણ ભાજપે પોતાનું ટ્રમ્પ કાર્ડ રમ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

છત્તીસગઢમાં ભાજપના સાયલેન્ટ કેમ્પેઇને ભૂપેશ બઘેલની ખુરશી હચમચાવી કે મહાદેવ એપએ માર્યા ?

Follow us on

વહેલી સવારથી જ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરુ થઇ ગઇ છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામો ચોંકાવી દેનારા છે. જે રાજ્યમાં કોંગ્રેસની સૌથી મજબૂત માનવામાં આવતી હતી તે જ રાજ્યમાં તે બહુમતીથી દૂર છે. મતગણતરીના વલણોમાં ભાજપને જીત તરફ જોવા મળ્યુ છે. છત્તીસગઢમાં કોંગ્રેસની હાર બાદ ભાજપના મૌન પ્રચારની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. ભાજપે છત્તીસગઢની ધરતી પર કોંગ્રેસ સરકાર વિરૂદ્ધ એવું વાતાવરણ ઊભું કર્યું, કે ભૂપેશ બઘેલની ખુરશી હચમચી ગઈ.

છત્તીસગઢમાં ભાજપના સાયલેન્ટ કેમ્પેઇને અજાયબી કરી છે. છત્તીસગઢના પરિણામો પણ અણધાર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે અહીં કોંગ્રેસ મજબૂત માનવામાં આવતી હતી અને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ચૂંટણી પ્રચારની સામે ભાજપ વામણું દેખાઈ રહ્યું હતું, પરંતુ ભાજપે પુનરાગમન કર્યું અને ભૂપેશ બઘેલની સરકારને પાંચ વર્ષ માટે સત્તામાં લાવી, બહારનો રસ્તો બતાવ્યો છે.

પરિણામના વલણોથી છત્તીસગઢની કોંગ્રેસ પાર્ટીની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સત્તામાંથી બહાર છે.સરકારના ઘણા મંત્રીઓ પણ ચૂંટણી હારી રહ્યા છે. તેમાં તામ્રધ્વજ સાહુ, મોહન મરકામ, કાવાસી લખમા, મોહમ્મદ અકબર, અમરજીત ભગત, રુદ્ર ગુરુ, અનિલ ભેડિયાનો સમાવેશ થાય છે, જ્યારે સીએમ ભૂપેશ બઘેલ અને ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ લીડ જાળવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

મોદી હૈ તો મુમકીન હૈ

છત્તીસગઢમાં બઘેલ સરકાર સામે કોઈ નારાજગી જોવા મળી ન હતી. તેવામાં ભાજપ માટે અહીંની ચૂંટણી જીતવી મુશ્કેલ હતી. શરૂઆતમાં ભાજપ પાસે મુદ્દાઓની કમી જણાતી હતી, પરંતુ અન્ય રાજ્યોની જેમ અહીં પણ ભાજપે પોતાનું ટ્રમ્પ કાર્ડ રમ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે પછી પીએમ મોદીએ છત્તીસગઢમાં આક્રમક પ્રચાર શરૂ કર્યો અને પરિણામ ભાજપ તરફી જોવા મળી જ રહ્યુ છે.

‘મહાદેવે’ બઘેલને માર્યા?

છત્તીસગઢ ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો મહાદેવ એપનો છે, જેને સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસે ભગવાન શિવના નામ પર મહાદેવને પણ છોડ્યા નથી.જે પછી સમગ્ર ભાજપે આ મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. ભાજપે સમગ્ર ચૂંટણી પ્રચાર મહાદેવ એપ પર રાખ્યો, જેના કારણે સીએમ ભૂપેશ બઘેલ ઘણી વખત અસ્વસ્થ થયા. જો કે તે હંમેશા કહેતા હતો કે તેને તેની સાથે કોઈ લેવાદેવા નથી. આમ છતાં ભાજપ વાતાવરણ સર્જવામાં સફળ રહ્યું હતું.

ન તો સોફ્ટ હિંદુત્વ અને ન તો ઓપીએસ કામ કર્યું

રામ અને કૃષ્ણ અંગે ભૂપેશ બઘેલનું સોફ્ટ હિન્દુત્વ ભાજપના કઠણ હિન્દુત્વ સામે ટકી શક્યું નહીં. ચૂંટણી દરમિયાન ભાજપે રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ચૂંટણીમાં જીત બાદ રામ મંદિરની મુલાકાત લેવાનું વચન આપ્યું હતું. પરિણામો પરથી સ્પષ્ટ છે કે છત્તીસગઢના લોકોને બીજેપીનું કઠણ હિન્દુત્વ વધુ પસંદ આવ્યું છે. ભૂપેશ બઘેલ સરકાર માત્ર હિંદુત્વના મુદ્દે જ નિષ્ફળ નથી રહી. હિન્દુત્વ ઉપરાંત ઓપીએસના મુદ્દે પણ કોંગ્રેસનો પરાજય થયો.

ભાજપનું મૌન અભિયાન કામ કરી ગયું

છત્તીસગઢ ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઘણી રેલીઓ યોજવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક પછી એક અનેક રેલીઓ યોજી. બીજી તરફ ભાજપને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેના બૂથ મેનેજમેન્ટ પાસેથી ચમત્કારની અપેક્ષા હતી. PM નરેન્દ્ર મોદીએ ભાજપ વતી આક્રમક પ્રચાર કર્યો એટલું જ નહીં, કાર્યકરોએ પણ ભૂપેશ બઘેલ સરકાર વિરુદ્ધ મેદાન પર વાતાવરણ ઊભું કર્યું.

આ પણ વાંચો-છત્તીસગઢમાં આ નેતા શોભાવશે CMની ખુરશી, જે PM મોદીથી પણ વધારે વખત રહ્યા છે મુખ્યમંત્રી પદ પર

ભાજપનું સમગ્ર ધ્યાન શહેરી વિસ્તારો તેમજ આદિવાસી વિસ્તારો પર હતું. 2018માં આદિવાસીઓએ કોંગ્રેસને એકતરફી મતદાન કર્યું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી આદિવાસીઓનો મોટો વર્ગ કોંગ્રેસ સરકારથી નારાજ હતો. ભાજપે આ આદિવાસીઓ સુધી પહોંચીને મોદી સરકારના કામને આડે હાથ લીધું હતું. આ ઉપરાંત આદિવાસીઓને પણ બઘેલ સરકારની નિષ્ફળતાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા.

Next Article