મહારાષ્ટ્રમાં મહાખેલ: શિવસેના સાંસદ સંજય રાઉતે NCP નેતા અજીત પવાર પર કર્યા આકરા પ્રહારો, જુઓ VIDEO
શનિવારે વહેલી સવારે મહારાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે NCPની સાથે મળીને સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. ત્યારે અજીત પવારને નાયબ મુખ્યપ્રધાનનું પદ આપવામાં આવ્યું છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ […]
શનિવારે વહેલી સવારે મહારાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે NCPની સાથે મળીને સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. ત્યારે અજીત પવારને નાયબ મુખ્યપ્રધાનનું પદ આપવામાં આવ્યું છે.
ત્યારે તેને લઈને શિવસેના પરેશાન છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ગઈ કાલે રાત્રે 9 વાગ્યા સુધી અજીત પવાર અમારી સાથે બેઠા હતા. તમામ વાતચીતમાં સક્રિય હતા. અચાનકથી તે ગાયબ થઈ ગયા, તેઓ નજરથી નજર મેળવીને નહતા બોલી રહ્યા. જે વ્યક્તિ પાપ કરવા જાય છે તેની નજર જે પ્રકારે ઝુકે છે તેવી હાલત હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સંજય રાઉતે કહ્યું કે રાજ્યના રાજ્યપાલ એક એવા વ્યક્તિ જે RSSમાંથી આવ્યા છે, સંસ્કારી છે, ધર્મનું પાલન કરશે પણ અંધારામાં પાપ થાય છે, ચોરી થાય છે. મહારાષ્ટ્રમાં જે પ્રકારે અંધારામાં સરકારને શપથ લેવડાવ્યા છે, તે યોગ્ય નથી. અજીત પવારે છત્રપતિ શિવાજી મહારાજનું નામ બદનામ કર્યુ છે.
વધુમાં સંજય રાઉતે કહ્યું કે આ સમગ્ર મામલે શરદ પવાર સાથે સંપર્કમાં છીએ. ઉદ્ધવ ઠાકરે સાથે તેમની વાતચીત થઈ છે. અજીત પવારે જે પાપ કર્યુ છે કે તેમાં શરદ પવાર સામેલ નથી. આ છેતરપિંડી શિવસેનાની સાથે નહીં મહારાષ્ટ્રની જનતા સાથે થઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો