સચિન તેંડુલકરને જન્મદિવસે જ ફટકારવામાં આવી નોટિસ, જાણો કેમ?

|

Apr 24, 2019 | 5:18 PM

સચિન તેંડુલકરના જન્મદિવસે જ BCCIએ નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે. સચિન આઈપીએલમાં મેન્ટરની સાથે ક્રિકેટની સલાહકાર સમિતિના સદસ્ય પણ હોવાથી આ નોટિસ ફટકારવામાં આવી છે. BCCIના લોકપાલ અને નૈતિક અધિકારી ડી કે જૈને સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણને નોટિસ ફટકારી છે. જેમાં હિતોનો ટકરાવ થતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે સચિન તેંડુલકર ટી-20ના […]

સચિન તેંડુલકરને જન્મદિવસે જ ફટકારવામાં આવી નોટિસ, જાણો કેમ?

Follow us on

સચિન તેંડુલકરના જન્મદિવસે જ BCCIએ નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે. સચિન આઈપીએલમાં મેન્ટરની સાથે ક્રિકેટની સલાહકાર સમિતિના સદસ્ય પણ હોવાથી આ નોટિસ ફટકારવામાં આવી છે.

BCCIના લોકપાલ અને નૈતિક અધિકારી ડી કે જૈને સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણને નોટિસ ફટકારી છે. જેમાં હિતોનો ટકરાવ થતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે સચિન તેંડુલકર ટી-20ના ફ્રેંન્ચાઈઝી મેન્ટરની સાથે ભારતના ક્રિકેટ સલાહકાર સમિતિના સદસ્ય પણ છે. આના લીધે હિતો જોખમાય છે. વીવીએસ લક્ષ્મણને પણ આ મુદ્દાને લઈને નોટિસ ફટકારવામાં આવી છે.

 

TV9 Gujarati

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

સચિન તેંડુલકરએ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની ટીમ જ્યારે વીવીએસ લક્ષ્મણ એ હૈદરાબાદની આઈપીએલ ટીમના મેન્ટર છે. આ ત્રીજો મામલો સામે આવ્યો છે જેમાં હિતના ટકરાવને લઈને ખબર સામે આવી છે. આ પહેલાં સૌરવ ગાંગુલી સાથે પણ આ પ્રકારની ઘટના બની હતી તેમને પણ નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમને પોતાનો જવાબ ન્યાયધીશ સમક્ષ આપવો પડ્યો હતો.

આ પણ વાંચો:  મતદાન કર્યા બાદ કઈ આંગળી સાથે ફોટો પડાવવો તેને લઈને ગૂંચવાયા ભાજપના ઉમેદવાર રમેશ ઘડૂક, વાયરલ થયો વીડિયો

ન્યાયમૂર્તિ જૈને આ નોટિસ ફટકારીને 28 એપ્રિલ સુધીમાં જવાબ આપવા કહ્યું છે. આટલું જ નહીં પણ બીસીસીઆઈને પણ જવાબ આપવા કહેવાયું છે. આ ફરિયાદ મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના સદસ્ય સંજીવ ગુપ્તાએ કરી હતી જેને લઈને સુનાવણીમાં લોકપાલે કહ્યું કે જો નોટિસ બાદ સચિન અને લક્ષ્મણ જવાબ આપવામાં નિષ્ફળ જશે તો તેમને પોતાનો જવાબ ફરીથી આપવાનો મોકો પણ આપવામાં આવશે નહીં. આ નોટિસ આજ સચિનના જન્મદિવસે તેના ઘરે પહોંચી છે જેના લીધે સચિનની સામે એક મુશ્કેલીનો વધારો થયો છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article