સુરેન્દ્રનગરઃ વરસાદના કારણે ઝીંઝુવાડા રણમાં ફસાયેલા 1100 જેટલા દર્શનાર્થીઓને બચાવી લેવાયા
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં વરસાદના કારણે રણમાં ફસાયેલા દર્શનાર્થીઓને બચાવી લેવાયા છે. મંદિરે દર્શન કરવા ગયા બદ ફસાયેલા લોકોને બચાવવા માટે મોડી રાત સુધી કામગીરી કરવામાં આવી હતી. અને 1100 જેટલા લોકોને રણમાંથી બાહાર કાઢવામાં આવ્યા હતા. તો કલેકટર વિભાગની ટીમ દ્વારા તમામ લોકોને રહેવા તેમજ જમવા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ […]
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં વરસાદના કારણે રણમાં ફસાયેલા દર્શનાર્થીઓને બચાવી લેવાયા છે. મંદિરે દર્શન કરવા ગયા બદ ફસાયેલા લોકોને બચાવવા માટે મોડી રાત સુધી કામગીરી કરવામાં આવી હતી. અને 1100 જેટલા લોકોને રણમાંથી બાહાર કાઢવામાં આવ્યા હતા. તો કલેકટર વિભાગની ટીમ દ્વારા તમામ લોકોને રહેવા તેમજ જમવા વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે નવા કાર્યની શરૂઆત કરવી હિતાવહ નથી
દર્શનાર્થીઓને ઝીંઝુવાડા મંદિરમાં આશરો અપાયો છે. વરસાદના કારણે 200થી વધારે વાહનોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ ધોધમાર વરસાદના કારણે લોકો ઝીંઝુવાડાથી પાટડી તરફ જઇ શકે તેમ નથી. સાથે જ આ વિસ્તારમાં વિજપોલ પડી જતાં વીજળી પણ ગૂલ છે. જેના કારણે અંધારપટ છવાયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો