એર સ્ટ્રાઇકના વાયુસેનાએ સેટેલાઇટ તસવીરો અને સેન્સર ડેટાના માધ્યમથી એકત્ર કર્યા ઠોસ પુરાવા

ભારત દ્વારા કરવામાં આવેલી  એર સ્ટ્રાઈક પર વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલીક તસવીરો તાજેતરમાં સોશ્યિલ મીડિયામાં ફરતી થઈ છે.  આ અંગે જારી કરવામાં આવેલી તસવીરોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય વાયુસેનાએ 80 ટકા ટાર્ગેટ તોડી પાડયા હતા. જારી થયેલી તસવીરોમાં ખંડિત થયેલી ઈમારતો પણ જોઈ શકાય છે. આ તરફ […]

એર સ્ટ્રાઇકના વાયુસેનાએ સેટેલાઇટ તસવીરો અને સેન્સર ડેટાના માધ્યમથી એકત્ર કર્યા ઠોસ પુરાવા
Follow Us:
| Updated on: Mar 07, 2019 | 2:16 AM

ભારત દ્વારા કરવામાં આવેલી  એર સ્ટ્રાઈક પર વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલીક તસવીરો તાજેતરમાં સોશ્યિલ મીડિયામાં ફરતી થઈ છે.  આ અંગે જારી કરવામાં આવેલી તસવીરોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય વાયુસેનાએ 80 ટકા ટાર્ગેટ તોડી પાડયા હતા. જારી થયેલી તસવીરોમાં ખંડિત થયેલી ઈમારતો પણ જોઈ શકાય છે.

આ તરફ વિદેશમાંથી પણ આ મુદ્દે  વિવિધ તર્કો સામે આવી રહ્યા છે.  અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો સ્થિત પ્રાઇવેટ સેટેલાઇટ ઓપરેટર પ્લેનેટ લેબ કોર્પોરેશન તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકાર દ્વારા પાકિસ્તાનના બાલાકોટ ખાતે આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી તાલીમ કેમ્પને હવાઈહુમલામાં તબાહ કરવાનો દાવો કરાયો હતો, પરંતુ હાઇરિઝોલ્યુશન સેટેલાઇટ તસવીરો બતાવે છે કે, જૈશ-એ-મોહમ્મદ દ્વારા સંચાલિત મદરેસા અથવા તો આતંકી તાલીમી કેમ્પ હજુ પણ ત્યાં યથાવત્ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કેટલાં દિવસ બાદ લેવામાં આવી તસવીરો ? 

જેના માટે એર સ્ટ્રાઇકના 6 દિવસ બાદ લેવાયેલી સેટેલાઇટ તસવીરોમાં મદરેસાની ઇમારતોને કોઈપણ પ્રકારનાં નુકસાન વિના જોઈ શકાય છે. અત્યાર સુધી કોઈ હાઇરિઝોલ્યુશન સેટેલાઇટ ઇમેજ જાહેરમાં ઉપલબ્ધ નથી, પરંતુ પ્લેનેટ લેબ દ્વારા લેવાયેલી તસવીરો 72 સે.મી. જેટલી નાની વસ્તુની પણ સ્પષ્ટ જાણકારી આપી શકે છે.

આ પણ વાંચો : વિપક્ષનો સવાલ ‘એર-સ્ટ્રાઈકમાં કેટલાં આતંકીઓ મર્યા?’, જવાબમાં વી.કે.સિંહે કહ્યું કે ‘કેટલાં મચ્છર મર્યા તે ગણવાં બેસુ કે આરામથી સૂઈ જાવ?’

ભારત સરકાર દ્વારા જે ઇમારતો પર હુમલો કરી તબાહ કર્યાનો દાવો કરાયો છે તે ઇમારતો આ તસવીરોમાં કોઈપણ પ્રકારનાં નુકસાન વિના ઊભેલી દેખાય છે. અપ્રિલ 2018માં લેવાયેલી તસવીરો અને 4 માર્ચ 2019ના રોજ લેવાયેલી તસવીરો વચ્ચે ઝાઝો કોઈ તફાવત નથી.

ભારતીય વાયુસેનાએ કરી સ્પષ્ટતા

પરંતુ ભારતીય વાયુસેનાના સુત્રો તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમના દ્વારા સેટેલાઇટ ઇમેજ અને અન્ય ડેટાના આધાર પર માહિતી એકત્ર કરવામાં આવી છે. જેના માટે સેન્સર સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના માટે હુમલો કરવામાં આવેલી સ્થાનની જૂની અને નવી ઇમેજની સરખામણી કરવામાં આવશે. જે પછી તેને જાહેર કરવું કે નહીં તે નિર્ણય સરકારનો રહેશે.

વાયુસેના દ્વારા પોતાના પુરાવમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમના ફાઇટર જેટ દ્વારા કરવામાં આવીલે એર સ્ટ્રાઇકમાં 80 ટકા બોમ્બ તેના ટાર્ગેટ પર જ પડ્યા છે. જ્યારે વિદેશી મીડિયાના અહેવાલો અંગે વાયુસેનાને પૂછવામાં આવ્યું ત્યારે તેમને આ અંગે કોઇ પણ તસવીરો તેમને મળી નથી તેમ કહ્યું છે. તેમજ વાયુસેના દ્વારા કોઇ પણ તસવીરો જાહેર કરવામાં આવી નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">