VIDEO: વિશ્વ વિખ્યાત ગુજરાતી આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ સન્માનથી સન્માનિત કરવામાં આવશે
વિશ્વ વિખ્યાત ગુજરાતી આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ સન્માનથી ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવશે. આર્કિટેક્ટની આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર અમદાવાદના બી.વી દોશીનો જન્મ પુણેમાં થયો હતો. તેમણે મુંબઈમાં અભ્યાસ કર્યો. પેરિસમાં કાર્ય કર્યા બાદ દોશી પ્રોજેક્ટની દેખરેખ માટે અમદાવાદ આવ્યા અને 1955માં વાસ્તુ શિલ્પ નામની તેમની કાર્યશાળાની સ્થાપના કરી. આ પણ વાંચો: VIDEO: કચ્છી ભાષાને જીવંત […]
વિશ્વ વિખ્યાત ગુજરાતી આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ સન્માનથી ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવશે. આર્કિટેક્ટની આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર અમદાવાદના બી.વી દોશીનો જન્મ પુણેમાં થયો હતો. તેમણે મુંબઈમાં અભ્યાસ કર્યો. પેરિસમાં કાર્ય કર્યા બાદ દોશી પ્રોજેક્ટની દેખરેખ માટે અમદાવાદ આવ્યા અને 1955માં વાસ્તુ શિલ્પ નામની તેમની કાર્યશાળાની સ્થાપના કરી.
આ પણ વાંચો: VIDEO: કચ્છી ભાષાને જીવંત રાખનારા નારાયણ જોષીને મળશે પદ્મશ્રી એવોર્ડ
1962-1972 દરમિયાન તેઓ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, અમદાવાદના અધ્યાપક અને સંસ્થા નિર્માતા તરીકે પણ જાણીતા છે. તેઓ આર્કિટેક્ટ ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય છે. મહત્વપૂર્ણ છે કે, વર્ષ 2018માં બાલકૃષ્ણ દોશીને તેમની કામગીરી માટે વિશ્વના સર્વ શ્રેષ્ઠ સન્માન પ્રિત્ઝકર પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો