અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં કાળી ચૌદશની રાત રહી ભારે, એક જ રાતમાં ઇમરજન્સી કેસમાં 98 દર્દીઓ આવ્યા
મહામારી વચ્ચે દિવાળીના તહેવારની ઉજવણી ગંભીર બની રહી છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કાળી ચૌદશની રાત ભારે રહી અને એક જ રાતમાં ઇમરજન્સી કેસમાં 98 દર્દીઓ નોંધાયા. જેમાંથી 40 ટકા દર્દીઓ અન્ય હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં ખસેડવામાં આવ્યા હતા. ઇતિહાસમા પ્રથમવાર એવી ઘટના બની કે, સિવિલ સત્તાધીશોને અડધી રાત્રે નવા બે વોર્ડ ખોલીને દર્દીઓને દાખલ કરવાની […]
મહામારી વચ્ચે દિવાળીના તહેવારની ઉજવણી ગંભીર બની રહી છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કાળી ચૌદશની રાત ભારે રહી અને એક જ રાતમાં ઇમરજન્સી કેસમાં 98 દર્દીઓ નોંધાયા. જેમાંથી 40 ટકા દર્દીઓ અન્ય હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં ખસેડવામાં આવ્યા હતા. ઇતિહાસમા પ્રથમવાર એવી ઘટના બની કે, સિવિલ સત્તાધીશોને અડધી રાત્રે નવા બે વોર્ડ ખોલીને દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી. ગત્ત સપ્તાહે સિવિલમાં 200 જેટલા દર્દીઓનો આંકડો નોંધાયો હતો. જોકે દિવાળીના તહેવારમાં આ આંક 500ને પાર પહોંચ્યો છે અને એમ્બ્યુલન્સ સતત 24 કલાક સુધી દોડતી રહી. હાલ 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં 517 બેડ ભરાઇ ગયા છે અને દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 200 આઈસીયુમાંથી 135 આઇસીયુ પેક થઇ ગયા છે. જોકે તબીબો ભય વ્યક્ત કરી રહ્યા છે આગામી સપ્તાહે સ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ: એસ.આર.મહેતા કોલેજની દાદાગીરી, વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો કર્યો ઇન્કાર
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો