દિવાળીના દિવસે ઉદ્યોગપતિઓ ચોપડા પૂજન કરે છે. મુહૂર્ત સત્ર શરૂ થાય તે પહેલાં હિસાબી પુસ્તકોની પૂજા કરવામાં આવે છે. 1957 થી BSE માં મુહૂર્ત વેપાર થાય છે. મુહૂર્ત વેપારની શરૂઆત બે મોટા વેપારી સમુદાયો ગુજરાતીઓ અને મારવાડી દ્વારા કરાઈ હતી. બાદમાં 1992 થી NSE જોડાયું અને ત્યારથી BSE અને NSE બંને બજાર દિવાળીની સાંજે એક કલાકનો વેપાર કરે છે.
આજે દિવાળીના ટ્રેડિંગના મુહૂર્તનો સમય આજે સાંજે 6: 15 વાગ્યે બજાર શરૂ થશે જે સાંજે 7: 15 સુધી ચાલશે. આ પહેલા પ્રી-ઓપન મુહૂર્ત સત્ર સાંજે 6:00 થી સાંજના 6:08 દરમિયાન ચાલશે. પોસ્ટ ક્લોઝિંગ મુહૂર્ત 7.25 થી 7.35 ની વચ્ચે રહેશે. માન્યતા અનુસાર મુહુર્ત એક એવો પ્રસંગ છે કે જેમાં ધંધા અને સમુદાયની સમૃદ્ધિની દેવી લક્ષ્મીને યાદ કરે છે વ્યાપારિક સમુદાયો સંવત અથવા નવા વર્ષની શરૂઆતની ઉજવણી પણ કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 11:37 am, Sat, 14 November 20