GK Quiz : ભારતીયો વિઝા વિના કયા દેશોમાં ફરી શકે છે? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
જનરલ નોલેજની સમજ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે લોકોને વિશ્વને સારી રીતે સમજવામાં તેમજ યોગ્ય નિર્ણય લેવામાં તમને મદદ કરે છે. આજે અમે આવા જ કેટલાક જનરલ નોલેજના પ્રશ્નો લઈને આવ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે.
GK Quiz : જનરલ નોલેજનો (General knowledge) અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને તેના વિશેની જાગૃતિ. જનરલ નોલેજ ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોની શ્રેણીને આવરી લે છે. જનરલ નોલેજની સમજ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે લોકોને વિશ્વને સારી રીતે સમજવામાં તેમજ યોગ્ય નિર્ણય લેવામાં તમને મદદ કરે છે. આજે અમે આવા જ કેટલાક જનરલ નોલેજના પ્રશ્નો લઈને આવ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે.
આ પણ વાંચો GK Quiz : કયું ફુલ 12 વર્ષમાં માત્ર એક જ વાર ખીલે છે? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
પ્રશ્ન – નાસાનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? જવાબ – વોશિંગ્ટન, USAમાં
પ્રશ્ન – FM બંધ કરનાર પ્રથમ દેશ કયો છે? જવાબ – નોર્વે
પ્રશ્ન – ભારતમાં પ્રથમ ટ્રેન ક્યાંથી ક્યાં દોડી હતી? જવાબ – મુંબઈથી થાણે
પ્રશ્ન – ચિંગમ બનાવવામાં કયા પ્રાણીનું માંસ ભેળવવામાં આવે છે? જવાબ – ડુક્કરનું
પ્રશ્ન – અમેરિકામાં કેટલા રાજ્યો છે? જવાબ – 50
પ્રશ્ન – વાદળી ગુલાબ ક્યાં જોવા મળે છે? જવાબ – ભારતમાં
પ્રશ્ન – ભારતમાં નૃત્ય કરતા હરણ કયા સ્થળોએ જોવા મળે છે? જવાબ – મણિપુરમાં
પ્રશ્ન – કાળું સોનું કોને કહેવાય? જવાબ – કોલસાને
પ્રશ્ન – કયા શહેરને કુસ્તીબાજોનું શહેર કહેવામાં આવે છે? જવાબ – કોલ્હાપુરને
પ્રશ્ન – કયું વૃક્ષ કાપવામાં આવે ત્યારે બાળકની જેમ રડે છે? જવાબ – મેન્ડ્રેકનું ઝાડ
પ્રશ્ન – કયો દેશ કાંગારૂનો દેશ કહેવાય છે? જવાબ – ઓસ્ટ્રેલિયા
પ્રશ્ન – કયા દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ ઉપલબ્ધ છે? જવાબ – વેનેઝુએલામાં
પ્રશ્ન- વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનો શ્રેય કોને જાય છે? જવાબ- સિરીમાવો બંદરનાઈકે (શ્રીલંકા)
પ્રશ્ન – વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે? જવાબ – ટોક્યો
પ્રશ્ન- બટાકાનો દુષ્કાળ કયા દેશમાં થયો હતો? જવાબ – આયર્લેન્ડ
પ્રશ્ન- યુરેનિયમનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ કરે છે? જવાબ – કેનેડા
પ્રશ્ન- વિશ્વનો સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ કયો છે? જવાબ- ભારત
પ્રશ્ન – ભારતીયો વિઝા વિના કયા દેશોમાં ફરી શકે છે?
જવાબ – ભૂતાન, ફિજી, બાર્બાડોસ, નેપાળ, મોરેશિયસ, ત્રિનિદાદ અને ટોબેગો, મ્યાનમાર, જમૈકા, કંબોડિયા સહિતના 60 જેટલા દેશોમાં ભારતીયો વીઝા વિના ફરી શકે છે. માત્ર પાસપોર્ટ હોવો જરૂરી છે.