કાશ્મીરનો ખીણ પ્રદેશ એક સમયે મીઠા પાણીનું તળાવ હતુ, NASA એ આપ્યા પુરાવાઓ

|

Oct 10, 2024 | 6:21 PM

નાસાની અર્થ ઓબ્ઝર્વેટરીએ દાવો કર્યો છે કે, 4.5 મિલિયન વર્ષો પહેલા, કાશ્મીર ખીણ એક સમયે 84 માઈલ લાંબુ અને 20 માઈલ પહોળું તળાવ હતું. પર્વતોથી ઘેરાયેલું આ સરોવર વિશ્વના સૌથી ઊંચા અને સૌથી મોટા તળાવોમાંનું એક હતું. તે સમયે અહીં એક પણ વ્યક્તિ રહેતી ન હતી.

કાશ્મીરનો ખીણ પ્રદેશ એક સમયે મીઠા પાણીનું તળાવ હતુ, NASA એ આપ્યા પુરાવાઓ

Follow us on

હિમાલયની તળેટીની સૌથી સુંદર ખીણ એટલે કાશ્મીર, એક સમયે કાશ્મીરનો ખીણ પ્રદેશ મીઠા પાણીનું સરોવર હતું. આ તે સમય હતો જ્યારે અહીં એક પણ વ્યક્તિ રહેતી ન હતી. પર્વતોથી ઘેરાયેલું આ તળાવ ધીમે ધીમે લુપ્ત થઈ ગયું. આ બધું માણસોની વધતા જતા હસ્તક્ષેપને કારણે થયું. હવે ખીણમાં કેટલાક તળાવો છે, પરંતુ તે પણ જોખમમાં છે. નાસાએ આ અંગે ચોંકાવનારો દાવો કર્યો છે.

નાસાની અર્થ ઓબ્ઝર્વેટરીએ દાવો કર્યો છે કે 4.5 મિલિયન વર્ષો પહેલા, કાશ્મીર ખીણ એક સમયે 84 માઈલ લાંબુ અને 20 માઈલ પહોળું તળાવ હતું. પર્વતોથી ઘેરાયેલું, આ તળાવ વિશ્વના સૌથી ઊંચા અને સૌથી મોટા તળાવોમાંનું એક હતું, જે દરિયાની સપાટીથી સરેરાશ 6000 ફૂટની ઊંચાઈએ તાજા પાણીનો સૌથી મોટો સ્ત્રોત હતો. નાસાના જણાવ્યા અનુસાર, ખીણનો બાઉલ જેવો આકાર અને તેના તળિયે રેતાળ, માટી જેવો કાંપ આનો બોલતો પુરાવો છે.

પૃથ્વી પરથી કાશ્મીર ખીણ આવી દેખાય છે

નાસાની અર્થ ઓબ્ઝર્વેટરી દ્વારા લેવામાં આવેલી કાશ્મીર ખીણની તસવીરમાં, તે સંપૂર્ણપણે આકાશમાંથી એક તળાવ જેવું લાગે છે, જેની ઉપર ધુમ્મસભર્યા વાદળો દેખાય છે. આમાં, આસપાસનો વિસ્તાર બરફથી થીજી ગયેલો દેખાય છે, નાસા અનુસાર જ્યારે જમીન ઠંડી હોય ત્યારે આવું થાય છે. જમીન ઉપરથી આ બરફ પાવડર જેવો દેખાય છે. અર્થ ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર જે દિવસે ફોટો લેવામાં આવ્યો હતો તે દિવસે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધુ હતું.

ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે સાફ, બસ કરી લો આ કામ
ઘરમાં લગાવો આ ચાર પેઈન્ટીંગ્સ, થશે ધનવર્ષા
પરંપરાગત પોશાકમાં સજ્જ હોય છે આ ગુજરાતી સિંગર, જુઓ ફોટો
TV9 Festival of India : TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા દુર્ગા પૂજાથી થયો શરૂ, 5 દિવસ ચાલશે ઉત્સવ
આજનું રાશિફળ તારીખ : 10-10-2024
સિંગર કૌશલ પીઠાડિયા અમદાવાદીઓને ગરબે રમાડશે

કાશ્મીર હવે ઘણા નાના તળાવો છે

કાશ્મીર ખીણ પર લાઈવ સાયન્સમાં પ્રકાશિત એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, કાશ્મીર ઘાટી હવે તળાવ નથી રહી, હવે તે ઘણા નાના તળાવોનું ઘર બન્યું છે. જો કે, હવે આ તળાવો માનવ-સંબંધિત તાણ અનુભવી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સેટેલાઇટ ઇમેજમાં દર્શાવવામાં આવ્યું છે કે કાશ્મીર ખીણના મોટાભાગના તળાવો યુટ્રોફિકેશનથી પ્રભાવિત છે, એટલે કે તે જળચર જીવો માટે ઝેરી બની ગયા છે.

યુટ્રોફિકેશન શું છે?

યુટ્રોફિકેશન એવી સ્થિતિ છે, જેમાં શહેરીકરણને કારણે ઘણા પ્રકારના તત્વો તળાવોમાં પ્રવેશ કરે છે. તેઓ ઘણા પ્રકારના શેવાળ બનાવે છે, જેના કારણે તળાવોની સપાટી પર છોડ ઉગે છે, જેના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને જળચર જીવો માટે પાણી ઝેરી બની જાય છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ખીણનું સૌથી મોટું તળાવ વુલર લેક છેલ્લા એક દાયકાથી મોટા પ્રમાણમાં યુટ્રોફિકેશનથી પીડિત છે. અન્ય તળાવોમાં પણ આવી જ સ્થિતિ છે.

Next Article