Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birth Anniversary : એક જ દિવસમાં 2 સદી ફટકારીને અંગ્રેજોને રાતા પાણીએ રોવડાવનાર ભારતના ક્રિકેટના જાદુગર

22 ઓગસ્ટ 1896ના રોજ તેમણે બેવડી સદી ફટકારીને અંગ્રેજોને ચોંકાવી દીધા હતા. ઇંગ્લેન્ડના હોવમાં સસેક્સ તરફથી રમતી વખતે તેણે યોર્કશાયર ટીમને જવાબ આપ્યો. તેમને કાંડાના જાદુગર પણ કહેવામાં આવે છે. તેમને ઘણી રીતે સ્ટ્રોક લગાડવામાં નિપુણતા હતી. આ ગુણવત્તાના કારણે તે ઓન સાઇડ રન બનાવવામાં માહિર હતા. આ જ કારણ હતું કે ઈંગ્લેન્ડે તેમણે પોતાની ટીમમાં લેવા પડ્યા હતા.

Birth Anniversary : એક જ દિવસમાં 2 સદી ફટકારીને અંગ્રેજોને રાતા પાણીએ રોવડાવનાર ભારતના ક્રિકેટના જાદુગર
Image Credit source: Tv9 ભારતવર્ષ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 11:31 AM

Birth Anniversary: ભારતમાં એક એવા વ્યક્તિ હતા જેમણે 127 વર્ષ પહેલા એક દિવસમાં 2 સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. જે ક્રિકેટના જાદુગર તરીકે જાણીતા હતા. એ નામ હતું રણજીતસિંહ જાડેજા. 22 ઓગસ્ટ 1896ના રોજ તેમણે બેવડી સદી ફટકારીને અંગ્રેજોને ચોંકાવી દીધા હતા. ઇંગ્લેન્ડના હોવમાં સસેક્સ તરફથી રમતી વખતે તેમણે યોર્કશાયર ટીમને જવાબ આપ્યો હતો. સસેક્સ માટે એક મેચમાં બે સદી ફટકારનાર તે ત્રીજા બેટ્સમેન બન્યા હતા. તેમના પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કોઈ બેટ્સમેન આવું કરી શક્યો નથી.

આ પણ વાંચો: IND vs PAK, Colombo Weather Update: કોલંબોમાં હવામાન બદલાયું, ભારત-પાકિસ્તાન મેચ પહેલા મળ્યાં આવા સંકેતો ?

રણજીતસિંહે ભારતીય ક્રિકેટના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નામ પરથી ટ્રોફીનું નામ રણજીત ટ્રોફી રાખવામાં આવ્યું છે, ભારતીય ક્રિકેટ ટીમમાં જોડાવા માટે ટ્રોફી જીતવી ફરજિયાત બની ગઈ હતી.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

16 વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ પહોંચ્યા

આઝાદી પહેલા ક્રિકેટ એક સમયે અંગ્રેજો, મહારાજાઓ અને નવાબોની રમત હતી. જામનગરના મહારાજા રણજિતસિંહ ભારતમાં રહીને ક્રિકેટની બારીકાઈઓ શીખ્યા હતા. 16 વર્ષની ઉંમરે તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા. ક્રિકેટના પિતા ગણાતા WG ગ્રેસ પણ રણજીતસિંહની બેટિંગના ચાહક હતા.

ક્ષમતા એવી છે કે અંગ્રેજો પણ તેમને માનતા હતા

તેમને કાંડાના જાદુગર પણ કહેવામાં આવે છે. તેમને ઘણી રીતે સ્ટ્રોક લગાડવામાં નિપુણતા હતી. આ ગુણવત્તાના કારણે તે ઓન સાઇડ રન બનાવવામાં માહિર હતા. આ જ કારણ હતું કે ઈંગ્લેન્ડે તેમણે પોતાની ટીમમાં લેવા પડ્યા હતા. અંગ્રેજોએ પણ તેમની ક્ષમતાને ઓળખી હતી. જોકે, જ્યારે તેનો ઈંગ્લેન્ડની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે વિવાદ થયો હતો.

લોર્ડ હેરિસે કહ્યું કે રણજીતસિંહનો જન્મ ભારતમાં થયો છે, તેથી તેને ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ ન કરવો જોઈએ. પરંતુ રણજીતસિંહની આવડત સામે વિવાદ ટકી શક્યો નહીં.

બીમાર હતા પણ મેદાનમાં રમતા રહ્યા

તેમણે 1896માં ઓસ્ટ્રેલિયા સામે તેમની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી અને પ્રથમ દાવમાં 62 રન અને બીજા દાવમાં અણનમ 154 રન બનાવીને રણજીતસિંહ ચર્ચામાં આવ્યા હતા. આ સાથે તેમને પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં વધુ 50 સદી ફટકારનાર ખેલાડી બની ગયા હતા. તે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ બેટ્સમેન હતો જે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારીને અણનમ રહ્યા હતા.

તેમણે વર્ષ 1897માં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો હતો. 7મા નંબર પર બેટિંગ કરતા 175 રન બનાવ્યા હતા. ટેસ્ટ મેચ પહેલા બીમાર હોવા છતાં ઈંગ્લેન્ડની ટીમ કોઈપણ ભોગે તેમને પ્લેઈંગ ઈલેવનમાં જોવા માંગતી હતી. માંદગી હોવા છતાં, તેમણે મેચમાં હાજરી આપી હતી. મેચ દરમિયાન રણજીતસિંહને કમજોરી હોવા છતા પણ રમત દરમિયાન ડોક્ટર તેની સારવાર કરી રહ્યા હતા.

307 મેચમાં 72 સદી

તેમણે 15 ટેસ્ટ મેચમાં 44.95ની એવરેજથી 989 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 307 મેચમાં 24,092 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. જેમાં 72 સદી અને 109 અડધી સદી હતી. ક્રિકેટની દુનિયામાં ઈતિહાસ સર્જનાર રણજીતસિંહનું 60 વર્ષની વયે 2 એપ્રિલ 1933ના રોજ ગુજરાતના જામનગરમાં અવસાન થયું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
g clip-path="url(#clip0_868_265)">