રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છેલ્લા ઘણા સમયથી ભારે ચર્ચામાં છે. પાડોશી દેશ યુક્રેન સાથે છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલા યુદ્ધને કારણે રશિયાના રાષ્ટ્રપતિ રોજ ચર્ચામાં રહે છે. આખી દુનિયામાં તેના યુદ્ધના નિર્ણયને કારણે ભારે વિરોધ થઈ રહ્યો છે. યુદ્ધની ચર્ચાઓ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક અન્ય કારણસર પણ ભારે ચર્ચામાં છે.
જ્યારે કોઈ નેતા કે વ્યક્તિ ભારે ચર્ચામાં આવે છે ત્યારે તેની નાનામાં નાની વાતોને નોંધવામાં આવે છે અને તેની ચર્ચાઓ પણ થાય છે. તમે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચાલતા જોયા જ હશે. તે વખતે તેમણે એક વિચિત્ર વાત નોંધી હશે. તેની ચાલવાની રીત જોઈને લાગે છે કે તેમને કોઈ બીમારી હશે. ચાલો જાણીએ તેની પાછળની સાચી હકીકત.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચાલતી વખતે જમણો હાથ નથી હલાવતા. તમે આ વાત નોંધી જ હશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફક્ત પોતાનો ડાબો હાથ જ કામમાં લેતા હોય છે. આ ચાલને ‘ગન સ્લિંગર સ્ટાઈલ’ નામથી પ્રખ્યાત છે. જણાવી દઈએ કે પુતિન પહેલા એક જાસૂસ હતા. તેમને હથિયાર ઝડપથી નીકાળવા માટે આવી ટ્રેનિંગ આપવામાં આવી હતી.
કેજીબી જાસૂસી સંસ્થાના સભ્યોને તેમની ટ્રેનિંગમાં શીખવવામાં આવે છે કે પોતાના જમણો હાથ હથિયારની નજીક રાખો. અને ડાબો હાથ આગળની તરફ રાખો. અચાનક કોઈ દુશ્મન સામે આવી જાય ત્યારે આ ટ્રેનિંગને કારણે ઝડપથી હથિયારનો ઉપયોગ કરી શકાય છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વર્ષોથી કેજીબી જાસૂસી સંસ્થાના સભ્ય રહ્યાં હતા જેના કારણે તેમને આ આદત પડી છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ચાલવાની આવી રીતને કારણે અનેક અફવાઓ ઉડી હતી. અફવા ચાલી રહી હતી કે તેઓ કોઈ બીમારીથી પીડિત છે. વચ્ચે એવી પણ અફવાઓ સામે આવી હતી કે તેઓ બીમાર પડયા છે. મોસ્કોમાં એક પરેડ દરમિયાન ધાબડો ઓઢીને જોવા મળતા અનેક અફવાઓ ફેલાઈ હતી. એક સમયે તેમના ખરાબ ચહેરાનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના ચોંકાવનારા નિર્ણયોને કારણે ભારે ચર્ચામાં રહે છે.
આ પણ વાંચો : Gujarati Video : કરજણ સ્વામીનારાયણ મંદિરના સેવક વિરુદ્ધ 48 લાખની ઉચાપતની ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી