Indian Railways : રેલવેએ પ્રવાસીઓ માટે શરૂ કરી નવી સુવિધાઓ, હોટલમાં રૂમ શોધવા માટે ભટકવું નહીં પડે

Sleeping Pods In CSMT: થાકેલા પ્રવાસીઓ માટે રેલવે દ્વારા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશન પર સ્લીપ પોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા શરૂ થયા બાદ તમારે હોટલમાં રૂમ શોધવા માટે ભટકવું નહીં પડે.

Indian Railways : રેલવેએ પ્રવાસીઓ માટે શરૂ કરી નવી સુવિધાઓ, હોટલમાં રૂમ શોધવા માટે ભટકવું નહીં પડે
Indian RailwayImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 12:23 PM

Sleeping Pods: ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. લાંબા પ્રવાસથી થાકેલા પ્રવાસીઓ માટે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશન પર નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સેવા શરૂ થયા બાદ સ્ટેશન પર ઉતર્યા બાદ પ્રવાસીઓને હોટેલો શોધવા માટે ભટકવું નહીં પડે. રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી સુવિધા એવા પ્રવાસીઓ માટે ખૂબ જ ખાસ છે, જેઓ ઘણીવાર એક શહેરથી બીજા શહેરમાં જતા હોય છે અને હોટલ વગેરેમાં રોકાય છે.

મુંબઈમાં બીજા સ્થાને શરૂ થઈ Sleeping Pods સુવિધા

ભારતીય રેલવે દ્વારા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશન પર મુસાફરો માટે સ્લીપિંગ પોડ્સની (Sleeping Pods) સુવિધા શરૂ કરવામાં આવી છે. અગાઉ 17 નવેમ્બર 2021ના રોજ પશ્ચિમ રેલવેના (Western Railway) મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે પોડ હોટેલ શરૂ કરવામાં આવી હતી. આ રીતે, મુંબઈમાં શરૂ કરવામાં આવેલી આ બીજી સ્લીપ પોડ સેવા સુવિધા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સ્લીપિંગ પોડ્સમાં રહેવા માટે નાના રૂમ છે

રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, Indian Railways એ આરામદાયક અને આર્થિક રોકાણનો વિકલ્પ આપવા માટે આ પહેલ કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ સ્લીપિંગ પોડની કેટલીક તસવીરો શેર કરી છે. વાસ્તવમાં, અમે તમને જણાવી દઈએ કે સ્લીપિંગ પોડ્સ (Sleeping Pods) મુસાફરો માટે રહેવા માટેના નાના રૂમ છે. આને ‘કેપ્સ્યુલ હોટલ’ પણ કહેવામાં આવે છે.

પોડ હોટેલ આ સુવિધાઓથી સજ્જ છે

રેલવે સ્ટેશન પર હાજર વેઇટિંગ રૂમની સરખામણીએ તેમનું ભાડું ઓછું છે. પરંતુ અહીં મુસાફરોને તેમની જરૂરિયાત મુજબ સુવિધાઓ મળે છે. આમાં એર કંડિશનર રૂમમાં રહેવાની સુવિધાની સાથે મોબાઈલ ફોન ચાર્જિંગ, લોકર રૂમ, ઈન્ટરકોમ, ડીલક્સ બાથરૂમ અને ટોઈલેટ વગેરે જેવી બીજી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે.

કુલ 40 સ્લીપિંગ પોડ્સ માંથી 4 ફેમિલિ પોડ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ની મુખ્ય લાઇન પર રેલવે દ્વારા વેઇટિંગ રૂમની નજીક એક નવી સ્લીપિંગ પોડ હોટેલ (Sleeping Pod Hotel) ખોલવામાં આવી છે. તેનું નામ Namah Sleeping Pods છે. રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, CSMT પર હાજર આ સ્લીપિંગ પોડ્સમાં (Sleeping Pods) હાલમાં 40 સ્લીપિંગ પોડ્સ છે. ત્યાં 30 સિંગલ પોડ્સ, 6 ડબલ પોડ્સ અને 4 કુટુંબ પોડ્સ છે.

બુકિંગ માટે શું કરવું

તમે CSMT રેલવે સ્ટેશન પર બનાવેલ Namah Sleeping Pods ઓનલાઈન અથવા કાઉન્ટર પર જઈને બુક કરી શકો છો.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">