
ભારતમાં નાના અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2015 માં એક મહત્વકાંક્ષી યોજના શરૂ કરવામાં આવી હતી, જેનું નામ છે ‘પ્રધાનમંત્રી મુદ્રા યોજના’ (PMMY). આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા નાના ઉદ્યોગસાહસિકોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે જેમને બેંકિંગ સિસ્ટમમાંથી સરળતાથી લોન નથી મળતી. ‘ફંડિંગ ધ અનફંડેડ’ ના સૂત્ર સાથે શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કરોડો લોકોએ પોતાના સપના સાકાર કર્યા છે.
મુદ્રા યોજના હેઠળ લોનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે, જેથી વેપારના કદ મુજબ સહાય મળી શકે:
શિશુ : નવા વ્યવસાય શરૂ કરવા માટે ₹50,000 સુધીની સહાય.
કિશોર: સ્થાપિત વ્યવસાયના વિસ્તરણ માટે ₹50,000 થી ₹5 લાખ સુધીની લોન.
તરુણ: મોટા પાયે વિકાસ માટે ₹5 લાખ થી ₹10 લાખ સુધીની લોન.
કોઈપણ ભારતીય નાગરિક જે બિન-ખેતી ક્ષેત્રમાં આવક પેદા કરતી પ્રવૃત્તિ જેવી કે મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસિંગ, ટ્રેડિંગ અથવા સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલ હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે. આ લોન જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો અને NBFCs દ્વારા મેળવી શકાય છે.
તાજેતરના આંકડા મુજબ, આ યોજના હેઠળ 47 કરોડથી વધુ લાભાર્થીઓને ₹27.75 લાખ કરોડથી વધુની લોન આપવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે આ યોજનામાં 69% લાભાર્થીઓ મહિલાઓ છે, જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ઉપરાંત, SC/ST અને OBC વર્ગના 51% ઉદ્યોગસાહસિકોને પણ આ યોજનાનો મોટો લાભ મળ્યો છે.
હવે સરકાર આ યોજનાને વધુ વ્યાપક અને પ્રભાવશાળી બનાવવા માટે MUDRA 2.0 પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે: