દેશભરમાં ભારતીય નોટબંધી બાદ 500 અને 1000 રૂપિયાની નોટોને લઈને અલગ -અલગ વાતો સામે આવી રહી છે. જો તમે પણ તે સમયે 500 અને 1000 રૂપિયાની નોટો બદલાવી શક્યા નથી તો હવે તમારી પાસે બીજી તક છે… !!! રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા – RBI તરફથી મોટી તક આપવામાં આવી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે.8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. શું તમારી પાસે હજુ પણ ઘરમાં જૂની ચલણી નોટો છે? જો હા, તો જાણો આ મામલાને લઈ સરકાર શું કહી રહી છે.
હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં માહિતી આપવામાં આવી રહી છે કે વિદેશી નાગરિકો માટે 500-1000ની જૂની નોટો બદલવાની સુવિધાને આગળ વધારવામાં આવી છે. આ પોસ્ટ જોયા બાદ લોકો વિચરતા થઇ ગયા છે.
An order issued in the name of @RBI claims that exchange facility for Indian demonetized currency notes for foreign citizens has been extended#PIBFactCheck
✅This order is #fake
✅The exchange facility for Indian demonetized currency notes for foreign citizens ended in 2017. pic.twitter.com/cF0IwMu3Wb
— PIB Fact Check (@PIBFactCheck) March 6, 2023
મામલાની ગંભીરતા જોઈને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોની ફેક્ટ ચેક ટીમએ મામલાની તપાસ કરી અને તેનું સત્ય સામે મૂક્યું છે. PIBએ આ વાયરલ પોસ્ટની હકીકત તપાસી છે. તથ્ય તપાસ પછી ખબર પડી કે આ પોસ્ટ સંપૂર્ણપણે બોગસ અને ગુમરાહ કરનારી છે.
તમને જણાવી દઈએ કે 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. આ પછી, તે જ દિવસે મધ્યરાત્રિથી દેશમાં 500 અને 1000 રૂપિયાની ચલણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે આ પછી લોકોને બેંકમાંથી નોટો બદલવાની છૂટ આપવામાં આવી હતી.
જો તમને પણ આવો કોઈ મેસેજ મળે તો જરાય ચિંતા ન કરો. આવા ફેક મેસેજ કોઈની સાથે શેર ન કરો. આ સિવાય તમે કોઈપણ સમાચારની ફેક્ટ ચેક પણ કરી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 અથવા ઈમેલ: pibfactcheck@gmail.com પર પણ વીડિયો મોકલી શકો છો.