AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં રાખેલા કઠોળ કે અનાજમાં પડી જાય છે ધનેડા ? તો અજમાવો આ ટીપ્સ, કાયમની પરેશાનીમાંથી મળશે છુટકારો

How to Prevent insects in Dal Chawal Naturally : ઘરમાં રાખેલા ચોખા અને કઠોળમાં ઘણી વખત જંતુઓ(ધનેડા)નો ઉપદ્રવ વધી જાય છે. થોડી બેદરકારીને કારણે ઘણી વખત હવાચુસ્ત પાત્રમાં રાખેલા અનાજ પણ બગડી જાય છે.જો કે કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી ચોખા, કઠોળ કે અન્ય કોઈપણ અનાજથી જંતુઓને કેવી રીતે દૂર રાખી શકાય છે.

ઘરમાં રાખેલા કઠોળ કે અનાજમાં પડી જાય છે ધનેડા ? તો અજમાવો આ ટીપ્સ, કાયમની પરેશાનીમાંથી મળશે છુટકારો
How to Prevent insects in Dal Chawal Naturally
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 12:31 PM
Share

How To Store Rice And Lentils To Protect Bugs : ચોખા, કઠોળ કે કોઈપણ પ્રકારના અનાજની જાળવણીમાં એવી સમસ્યા હોય છે કે જો થોડી બેદરકારી હોય તો તેમાં નાના જીવડા(ધનેડા) આવી જાય છે. આ જીવડાને દૂર રાખવા માટે ઘણી વખત આપણે તેને એરટાઈટ કન્ટેનરમાં પણ રાખીએ છીએ, પરંતુ આ મોંઘા ડબ્બામાં પણ જંતુઓને રોકવું મુશ્કેલ બની જાય છે.

આવી સ્થિતિમાં, તેમને લાંબા સમય સુધી સંગ્રહિત કરવું કોઈપણ માટે એક પડકારરૂપ બની જાય છે. અહીં અમે જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે કેટલાક ઘરેલું ટીપ્સની મદદથી જંતુઓને ચોખા, દાળ અથવા અન્ય કોઈપણ અનાજથી દૂર રાખી શકો છો. આવો જાણીએ કેવી રીતે.

આ પણ વાંચો :Health Tips: પાચનતંત્રની નહીં રાખો સંભાળ તો પસ્તાવાનો પાર નહીં રહે, જાણો ઘરેલું ઉપાય

અનાજને આ રીતે બચાવો ઘનેડાથી

તમાલપત્રનો ઉપયોગ

તમાલપત્રના પાંદડાની સુગંધ એક તરફ ખોરાકનો સ્વાદ વધારવાનું કામ કરે છે, તો તમે તેની મદદથી જંતુઓને પણ દૂર રાખી શકો છો. જો તમારા ચોખા અથવા દાળમાં જંતુઓ વારંવાર જોવા મળે છે, તો તમારે દર થોડા દિવસે આ બોક્સમાં તમાલપત્ર રાખવા જોઈએ.આનાજી જીવાત દુર થશે.

લીમડાના પાનનો ઉપયોગ

જો તમારા ઘરની નજીક લીમડાનું ઝાડ છે, તો તમે તેના પાંદડાની મદદથી તમારા ચોખા અને કઠોળને જંતુઓથી બચાવી શકો છો. આ માટે લીમડાના સૂકા પાનને મલમલના કપડામાં બાંધી લો અને બંડલને એક બોક્સમાં મૂકો.અનાજમાં જીવડા નહીં પડે.

લવિંગનો ઉપયોગ

લવિંગની મદદથી તમે અનાજને જંતુઓથી સુરક્ષિત રાખી શકો છો. આ માટે તમે અનાજના ડબ્બામાં લવિંગ રાખો. જંતુઓ અનાજથી દૂર રહેશે. એટલું જ નહીં કીડીઓ પણ નહીં આવે. આ માટે તમે લવિંગ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

લસણનો ઉપયોગ

લસણની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. જો તમે ચોખા અને દાળના ડબ્બામાં લસણની છાલને કપડામાં બાંધીને રાખશો તો જીવડા તેનાથી દૂર રહેશે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સહમત જ છે તેમ માનવું નહી.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">