AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: પાચનતંત્રની નહીં રાખો સંભાળ તો પસ્તાવાનો પાર નહીં રહે, જાણો ઘરેલું ઉપાય

પાચન શક્તિ સારી હોવી શરીર માટે ખુબ જરૂરી છે. પાચનક્રિયા શરીરને સ્વસ્થ રાખે છે. ચાલો આજે તમને જણાવીએ પાચન શક્તિ સારી રાખવાના કેટલાક ઘરેલું ઉપાયો.

Health Tips: પાચનતંત્રની નહીં રાખો સંભાળ તો પસ્તાવાનો પાર નહીં રહે, જાણો ઘરેલું ઉપાય
Follow these tips to keep the digestive system healthy
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 3:51 PM
Share

જો તમે ખાધા પછી અસ્વસ્થતા અનુભવતા હો તો તેનું કારણ અપચો હોઈ શકે છે. અપચો એક ગંભીર સમસ્યા છે. પાચક તંત્ર સાથે સંકળાયેલ સૌથી સામાન્ય સમસ્યાઓમાં ઝાડા, કબજિયાત, ચીડિયાપણું, પેટનું ફૂલવું, પેટની ખેંચાણ, ગેસ અને ઉબકા છે. તમે પાચન સંબંધિત સમસ્યાઓ સામે લડવા માટે ઘણા ઘરેલું ઉપાય અપનાવો છો. ઉપરાંત તમે પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે કેટલીક સરળ ટીપ્સનું પાલન પણ કરી શકો છો. ચાલો આજે તમને જણાવીએ કેટલીક ટીપ્સ.

ખોરાકને યોગ્ય રીતે ચાવવો

સારા પાચનમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ એ છે કે તમારા ખોરાકને યોગ્ય રીતે ચાવો છો કે નહીં. જ્યારે તમે તમારા ખોરાકને યોગ્ય રીતે ચાવશો, ત્યારે તે તમારી પાચક સિસ્ટમનું મોટાભાગનું કામ સરળ બનાવી દેશે. માટે ધીમે ધીમે યોગ્ય રીતે ચાવીને જ ખાવું જોઈએ. ઉતાવળમાં ચાવ્યા વગર જામી લેવાથી અપચો થઈ શકે છે.

ફાઈબર સમૃદ્ધ આહાર

પાચનમાં ફાઈબર મહત્વની ભૂમિકા ભજવે છે. બંને પ્રકારના ફાઇબર, દ્રાવ્ય ફાઇબર અને અદ્રાવ્ય ફાઇબરનું સેવન કરવું મહત્વપૂર્ણ છે. આ બંને તમારી પાચક સિસ્ટમ માટે વિવિધ રીતે સહાય કરે છે. ફાયબરના સારા સ્રોત છે ફળો, શાકભાજી, આખા અનાજ, બદામ, અને બીજ. તેમજ પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે પ્રોસેસ્ડ અથવા જંક ફૂડ ખાવાનું ટાળો.

હાઈડ્રેટેડ રહેવું

પુષ્કળ પાણી પીવું પાચન સ્વાસ્થ્ય માટે સારું છે. તાજા ફળોના જ્યુસ, લીંબુનું શરબત અથવા નાળિયેર પાણી જેવા પીણાંથી દિવસભર તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. જેનાથી પાચન ક્ષમતા સારી રહેશે.

વ્યાયામ

સારા સ્વાસ્થ્ય માટે શારીરિક વ્યાયામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે ચાલવા, દોડવા તેમજ યોગ કરી શકો છો. નિયમિત શારીરિક પ્રવૃત્તિ તમારી પાચક શક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે પાચનની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

તાણથી બચવું

તણાવથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. તણાવ પેટનું અલ્સર, ઝાડા અને કબજિયાત જેવી અનેક પાચક સમસ્યાઓનું કારણ બની શકે છે. કેટલાક શ્વાસ લેવાના યોગા, ધ્યાન અથવા કસરતથી તણાવ ઘટાડવું જોઈએ.

ચરબી

પાચક શક્તિને સ્વસ્થ રાખવા માટે આહારમાં તંદુરસ્ત ચરબી એટલે કે હેલ્ધી ફેટ્સનો સમાવેશ કરો. આ માટે તમે તમારા આહારમાં ચીઝ, ઓલિવ ઓઈલ, ઇંડા, બદામ, એવોકાડો અને ફેટી માછલીનો સમાવેશ કરી શકો છો. ઓમેગા -3 ફેટી એસિડ બળતરા ઘટાડે છે. તમે તમારા આહારમાં સૈલ્મન, ટ્યૂના, ચિયા બીજ, શણના બીજ અને કોળાના બીજ શામેલ કરી શકો છો.

આ પણ વાંચો: Maida Flour Side Effect: મેંદાના લોટનો અતિશય ઉપયોગ કરનારા ચેતે, આંતરડા માટે ખતરનાક, મેંદાની આ છે સાઈડ ઈફેક્ટ

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">