AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: પાચનતંત્રની નહીં રાખો સંભાળ તો પસ્તાવાનો પાર નહીં રહે, જાણો ઘરેલું ઉપાય

પાચન શક્તિ સારી હોવી શરીર માટે ખુબ જરૂરી છે. પાચનક્રિયા શરીરને સ્વસ્થ રાખે છે. ચાલો આજે તમને જણાવીએ પાચન શક્તિ સારી રાખવાના કેટલાક ઘરેલું ઉપાયો.

Health Tips: પાચનતંત્રની નહીં રાખો સંભાળ તો પસ્તાવાનો પાર નહીં રહે, જાણો ઘરેલું ઉપાય
Follow these tips to keep the digestive system healthy
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 3:51 PM
Share

જો તમે ખાધા પછી અસ્વસ્થતા અનુભવતા હો તો તેનું કારણ અપચો હોઈ શકે છે. અપચો એક ગંભીર સમસ્યા છે. પાચક તંત્ર સાથે સંકળાયેલ સૌથી સામાન્ય સમસ્યાઓમાં ઝાડા, કબજિયાત, ચીડિયાપણું, પેટનું ફૂલવું, પેટની ખેંચાણ, ગેસ અને ઉબકા છે. તમે પાચન સંબંધિત સમસ્યાઓ સામે લડવા માટે ઘણા ઘરેલું ઉપાય અપનાવો છો. ઉપરાંત તમે પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે કેટલીક સરળ ટીપ્સનું પાલન પણ કરી શકો છો. ચાલો આજે તમને જણાવીએ કેટલીક ટીપ્સ.

ખોરાકને યોગ્ય રીતે ચાવવો

સારા પાચનમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ એ છે કે તમારા ખોરાકને યોગ્ય રીતે ચાવો છો કે નહીં. જ્યારે તમે તમારા ખોરાકને યોગ્ય રીતે ચાવશો, ત્યારે તે તમારી પાચક સિસ્ટમનું મોટાભાગનું કામ સરળ બનાવી દેશે. માટે ધીમે ધીમે યોગ્ય રીતે ચાવીને જ ખાવું જોઈએ. ઉતાવળમાં ચાવ્યા વગર જામી લેવાથી અપચો થઈ શકે છે.

ફાઈબર સમૃદ્ધ આહાર

પાચનમાં ફાઈબર મહત્વની ભૂમિકા ભજવે છે. બંને પ્રકારના ફાઇબર, દ્રાવ્ય ફાઇબર અને અદ્રાવ્ય ફાઇબરનું સેવન કરવું મહત્વપૂર્ણ છે. આ બંને તમારી પાચક સિસ્ટમ માટે વિવિધ રીતે સહાય કરે છે. ફાયબરના સારા સ્રોત છે ફળો, શાકભાજી, આખા અનાજ, બદામ, અને બીજ. તેમજ પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે પ્રોસેસ્ડ અથવા જંક ફૂડ ખાવાનું ટાળો.

હાઈડ્રેટેડ રહેવું

પુષ્કળ પાણી પીવું પાચન સ્વાસ્થ્ય માટે સારું છે. તાજા ફળોના જ્યુસ, લીંબુનું શરબત અથવા નાળિયેર પાણી જેવા પીણાંથી દિવસભર તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. જેનાથી પાચન ક્ષમતા સારી રહેશે.

વ્યાયામ

સારા સ્વાસ્થ્ય માટે શારીરિક વ્યાયામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે ચાલવા, દોડવા તેમજ યોગ કરી શકો છો. નિયમિત શારીરિક પ્રવૃત્તિ તમારી પાચક શક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે પાચનની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

તાણથી બચવું

તણાવથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. તણાવ પેટનું અલ્સર, ઝાડા અને કબજિયાત જેવી અનેક પાચક સમસ્યાઓનું કારણ બની શકે છે. કેટલાક શ્વાસ લેવાના યોગા, ધ્યાન અથવા કસરતથી તણાવ ઘટાડવું જોઈએ.

ચરબી

પાચક શક્તિને સ્વસ્થ રાખવા માટે આહારમાં તંદુરસ્ત ચરબી એટલે કે હેલ્ધી ફેટ્સનો સમાવેશ કરો. આ માટે તમે તમારા આહારમાં ચીઝ, ઓલિવ ઓઈલ, ઇંડા, બદામ, એવોકાડો અને ફેટી માછલીનો સમાવેશ કરી શકો છો. ઓમેગા -3 ફેટી એસિડ બળતરા ઘટાડે છે. તમે તમારા આહારમાં સૈલ્મન, ટ્યૂના, ચિયા બીજ, શણના બીજ અને કોળાના બીજ શામેલ કરી શકો છો.

આ પણ વાંચો: Maida Flour Side Effect: મેંદાના લોટનો અતિશય ઉપયોગ કરનારા ચેતે, આંતરડા માટે ખતરનાક, મેંદાની આ છે સાઈડ ઈફેક્ટ

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">