GK Quiz : ભારતના કયા વડાપ્રધાને એકપણ વિદેશ પ્રવાસ કર્યો નથી ? જાણો સૌથી વધુ વિદેશ પ્રવાસ કરનાર ભારતના વડાપ્રધાન વિશે
સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. જે તમને દરેક જગ્યાએ ઉપયોગી નીવડશે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.
GK Quiz : આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ (General Knowledge) અને વર્તમાન બાબતોની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. જે તમને દરેક જગ્યાએ ઉપયોગી નીવડશે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું નહિં હોય.
આ પણ વાંચો Chandrayaan 3 Mission: જાણો ચંદ્રયાન 3 મિશનથી જોડાયેલી મહત્વની વાતો
પ્રશ્ન – ચંદ્ર પર રમાયેલી પ્રથમ રમત કઈ છે? જવાબ – ગોલ્ફ
પ્રશ્ન – શું તમે જાણો છો કે એવું કયું ફળ છે જેમાં તમામ વિટામિન્સ હોય છે? જવાબ – પપૈયું
પ્રશ્ન – એવો કયો તહેવાર છે, જે પ્રકાશના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે? જવાબ – દિવાળી
પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં સોનાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? જવાબ – ચીન
પ્રશ્ન – માનવ શરીરનો કયો ભાગ છે, જે જન્મ પછી આવે છે અને મૃત્યુ પહેલા જાય છે? જવાબ – દાંત
પ્રશ્ન – એવું કયું ફળ છે જેને પાકતાં લગભગ 2 વર્ષ લાગે છે? જવાબ – પાઈનેપલ
પ્રશ્ન – ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? જવાબ – ડોલ્ફિન
પ્રશ્ન – કયા મુઘલ શાસકે તાજમહેલ બંધાવ્યો હતો? જવાબ – મુઘલ બાદશાહ શાહજહાં
પ્રશ્ન – મોરનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? જવાબ – લગભગ 15 વર્ષ
પ્રશ્ન – એવું કયું પક્ષી છે જે માત્ર વરસાદનું પાણી પીવે છે? જવાબ – ચાતક
પ્રશ્ન – વિશ્વની પ્રથમ ઘડિયાળ કયા દેશમાં બની હતી? જવાબ – જર્મનીમાં
પ્રશ્ન – એવું કયું ફળ છે જે ખાવાથી આંખોની રોશની વધે છે? જવાબ – કિવી
પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ચાંદી જોવા મળે છે? જવાબ – રાજસ્થાન રાજ્યમાં
પ્રશ્ન – ભારતના કયા વડાપ્રધાને એકપણ વિદેશ પ્રવાસ કર્યો નથી? જવાબ – ચૌધરી ચરણસિંહ
- ચૌધરી ચરણસિંહે એકપણ વિદેશ પ્રવાસ કર્યો નથી
- ચરણસિંહ ભારતના પાંચમા વડાપ્રધાન હતા
- 8 જુલાઈ 1979થી 14 જાન્યુઆરી 1980 દરમિયાન વડાપ્રધાન હતા
ભારતના કયા વડાપ્રધાને સૌથી વધુ વિદેશ પ્રવાસ કર્યા છે?
- ઈન્દિરા ગાંધીએ સૌથી વધુ વિદેશ પ્રવાસ કર્યા છે
- ઈન્દિરા ગાંધી વર્ષ 1966થી 1977 અને 1980થી 1984 સુધી વડાપ્રધાન રહ્યા
- ઈન્દિરા ગાંધીએ 15 વર્ષના કાર્યકાળમાં 113 દેશની મુલાકાત લીધી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી કેટલા વિદેશ પ્રવાસ કર્યા છે?
- મે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા
- જૂન 2023 સુધીમાં, નરેન્દ્ર મોદીએ 71 વિદેશ પ્રવાસ કર્યા છે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સના પ્રવાસે છે
- ફ્રાન્સનો પ્રવાસ નરેન્દ્ર મોદીનો 72મો વિદેશ પ્રવાસ છે