AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz: શું તમે પણ કોલંબોને શ્રીલંકાની રાજધાની માનો છો? પરીક્ષા પહેલા જાણો સાચો જવાબ

Capital of Sri Lanka : શ્રીલંકાની રાજધાની વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછવામાં આવે છે, માહિતીના અભાવને કારણે ઉમેદવારો માત્ર કોલંબોને જ માર્ક કરે છે, જે ખોટો જવાબ છે.

GK Quiz: શું તમે પણ કોલંબોને શ્રીલંકાની રાજધાની માનો છો? પરીક્ષા પહેલા જાણો સાચો જવાબ
Sri Jayawardenepura Kotte
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 1:47 PM
Share

જો કોઈ તમને શ્રીલંકાની રાજધાની પૂછે, તો સામાન્ય રીતે તમારા મોંમાંથી ફક્ત કોલંબો જ નીકળશે. પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. ભારતના આ પડોશી ટાપુ દેશની બે રાજધાની છે. કોલંબો અને શ્રી જયવર્દનેપુરા કોટ્ટે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવતા આવા પ્રશ્નો આપણને મૂંઝવણમાં મૂકી દે છે. યુવાનોએ સત્ય જાણવું જોઈએ, તેથી જ અમે તમારા માટે આવી સામગ્રી લાવતા રહીએ છીએ, જેથી પરીક્ષામાં કોઈ ભૂલ ન થાય.

આ પણ વાંચો : GK Quiz: વિશ્વના કેટલા દેશ એવા છે, જેને એકથી વધુ રાજધાની છે? જાણો સવાલોના જવાબ

હાલમાં, કોલંબો કારોબારી અને ન્યાયતંત્રની રાજધાની છે અને શ્રી જયવર્ધનેપુરા કોટ્ટે વિધાનસભાની રાજધાની છે. શ્રીલંકાના લોકો વિધાનસભાની રાજધાનીને કોટ્ટેના નામથી બોલાવે છે. નવી સંસદનું ઉદ્ઘાટન 29 એપ્રિલ, 1982ના રોજ થયું હતું. આ સંસદ ભવનનું નામ પૂર્વ રાષ્ટ્રપતિ જેઆર જયવર્દનેના નામ પર રાખવામાં આવ્યું છે.

ખૂબ જૂનું છે શહેર

લગભગ 12 એકરમાં બનેલી આ સંસદ આર્કિટેક્ચરનો અદ્ભુત નમૂનો છે. છેલ્લા 40 વર્ષમાં ઘણી સરકારી કચેરીઓ નવી રાજધાનીમાં પહોંચી છે અને ઘણીબધી કચેરીઓનું સ્થળાંતર હજુ પણ ચાલુ છે. કોટ્ટે દક્ષિણ-પૂર્વમાં કોલંબોને અડીને આવેલું છે. આ શહેર ઘણું જૂનું છે. વર્ષ 1930માં જ તેને કોટ્ટે શહેરી વિકાસ પરિષદનો દરજ્જો મળ્યો. વર્ષ 1997 માં તેનું નામ બદલીને શ્રી જયવર્ધનેપુરા કોટ્ટે મ્યુનિસિપલ કાઉન્સિલ રાખવામાં આવ્યું. ચંદ્રા સિલ્વા તેના પ્રથમ મેયર બન્યા. 2012ની ભારતની વસ્તી ગણતરી મુજબ કોટ્ટેની વસ્તી 1.07 લાખ હતી.

શ્રી જયવર્ધનેપુરા યુનિવર્સિટી શૈક્ષણિક સંસ્થા છે

કોટ્ટેને રાજધાની બનાવવાનો હેતુ કોલંબોની વસ્તી અને ટ્રાફિકનું દબાણ ઘટાડવાનો છે. કોટ્ટે ખૂબ જ જૂનું અને ઐતિહાસિક શહેર છે. તે 14મી થી 16મી સદી સુધી સિંહલીજ રાજની રાજધાની હતી. સંસદ ભવન દિવાના ઓયા તળાવમાં સ્થિત એક ટાપુ પર બનેલો છે. શ્રી જયવર્ધનેપુરા યુનિવર્સિટી, જે દેશની એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સંસ્થા છે, તે કોટ્ટે શહેરમાં જ સ્થિત છે. તેની સ્થાપના વર્ષ 1873માં કરવામાં આવી હતી.

શ્રીલંકામાં પણ આધાર જેવી સિસ્ટમ, ભારત કરી રહ્યું છે મદદ

ભારત સરકારે ઓગસ્ટ 2023માં શ્રીલંકા યુનિક ડિજિટલ પ્રોજેક્ટ માટે 45 કરોડ રૂપિયાની મદદ કરી છે. આ માટે સરકારે શ્રીલંકાને ટેકનિકલ સહયોગ આપવા માટે પણ સંમતિ દર્શાવી છે, જેથી ભારત જેવી આધાર સિસ્ટમ આ પાડોશી દેશમાં લાગુ કરી શકાય. શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર ગોપાલ બાગલેએ 45 કરોડ રૂપિયાનું ભારતીય યોગદાન, ટેકનોલોજી રાજ્ય મંત્રી કનક હેરાથને સોંપ્યું. એવું કહેવામાં આવ્યું છે કે, આ રકમ પ્રોજેક્ટની કુલ કિંમતના 15 ટકા છે. ભારતે આ આર્થિક મદદ પાડોશી દેશ પહેલાના, સિદ્ધાંત પર આપી છે.

સુવિધાઓમાં થશે વધારો

આ પ્રોજેક્ટ દ્વારા શ્રીલંકાની સરકાર દેશના દરેક નાગરિકની આઇરિઝ, ફિંગરપ્રિન્ટ્સ, અન્ય મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરવા અને ડિજિટાઇઝ કરવાનો ઇરાદો ધરાવે છે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન દ્વારા નિર્ધારિત ધોરણોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેથી શ્રીલંકાના કોઈપણ નાગરિકને વિદેશ પ્રવાસ દરમિયાન ઓળખ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી દેશના નાગરિકો માટે સરકારી સુવિધાઓ અને કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણમાં સરળતા રહેશે. ભ્રષ્ટાચાર રોકવામાં મદદ કરશે. દરેક જરૂરિયાતમંદને તેનો હક આપવામાં સગવડતા રહેશે. ભારતની જેમ શ્રીલંકાની સરકાર તેને બેંકિંગ અને અન્ય નાણાકીય માધ્યમો સાથે જોડવાની યોજના પર કામ કરી રહી છે.

બંને દેશો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા

ગયા વર્ષે એટલે કે માર્ચ 2022 માં આ પ્રોજેક્ટ માટે બંને દેશો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત-શ્રીલંકા જોઈન્ટ પ્રોજેક્ટ મોનિટરિંગ કમિટીની પણ તે જ સમયે પ્રોજેક્ટને અમલમાં મૂકવાના હેતુથી રચના કરવામાં આવી હતી. સોફ્ટવેર ડેવલપમેન્ટથી લઈને અન્ય વહીવટી મદદ માટે તૈયાર રહેવાની જવાબદારી આ સમિતિની છે. આ કરાર હેઠળ હવે આર્થિક મદદ પણ પહોંચી ગઈ છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">