શું તમે પણ વધારે ઓનલાઈન શોપિંગ કરો છો ? તો ધ્યાન રાખો તમે પણ ખરીદીના ડિસઓર્ડરથી પીડાઈ શકો છો

જો કોઈ વ્યક્તિ કોઈ કારણ વગરની વસ્તુ વારંવાર ખરીદી કરે છે અને તેને રોકી શકતો નથી, તો તે ફક્ત "ખરાબ આદત" નથી પણ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા હોઈ શકે છે. નિષ્ણાતોએ સમજાવ્યું છે કે આવું કેમ થાય છે.

શું તમે પણ વધારે ઓનલાઈન શોપિંગ કરો છો ? તો ધ્યાન રાખો તમે પણ ખરીદીના ડિસઓર્ડરથી પીડાઈ શકો છો
| Edited By: | Updated on: Jul 01, 2025 | 5:56 PM

જીવનને સરળ બનાવવાના નામે, કંપનીઓ દ્વારા વ્યવસાય વધારવા માટે કેટલીક એપ્સ બનાવવામાં આવી છે, જેને શોપિંગ એપ્સ કહેવામાં આવે છે. પરંતુ સાચું કહું તો, આ માર્કેટિંગ એપ્સ છે. આ એપ્સ દ્વારા, આપણે ઘરે બેસીને સરળતાથી ખરીદી કરી શકીએ છીએ અને બજારની ભીડથી બચી શકીએ છીએ.

મનોચિકિત્સક ડૉ. પંકજ વર્મા જણાવ્યું કે ઓનલાઈન શોપિંગનું વ્યસન બાયિંગ શોપિંગ ડિસઓર્ડર (BSD) ના જોખમ તરફ દોરી શકે છે. આ એક અલગ પ્રકારની માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ છે જેના કારણે લોકો ચિંતા, હતાશા, બેચેની જેવા રોગોના લક્ષણો બતાવી શકે છે.

જ્યારે પણ કોઈ વ્યક્તિ એકલતા અનુભવે છે અથવા પોતાને ખુશ કરવા માંગે છે, ત્યારે તે ઓનલાઈન શોપિંગનો આશરો લે છે. એક સ્વસ્થ વ્યક્તિ એક કે બે વાર ખરીદી કરે છે, પરંતુ બાયિંગ શોપિંગ ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિના મનમાં હંમેશા ખરીદીનો વિચાર આવતો રહે છે.

બાયિંગ શોપિંગ ડિસઓર્ડર શું છે

ડૉ. પંકજ વર્માએ જણાવ્યું કે – Buying Shopping Disorder ને Compulsive Buying Disorder (CBD) અથવા ડૉક્ટરની ભાષામાં Oniomania કહેવામાં આવે છે.

આ એક માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિ વારંવાર, અનિયંત્રિત રીતે અને જરૂરિયાત કરતાં વધુ ખરીદી કરે છે, ભલે તેને તે વસ્તુની જરૂર ન હોય,રૂપિયા ન હોય અથવા પાછળથી પસ્તાવો કરવો પડે. તે ફક્ત ખરીદીનો શોખ નથી, પરંતુ એક પ્રકારની આદત કે વ્યસન બની જાય છે જે વ્યક્તિના માનસિક, આર્થિક અને સામાજિક જીવનને અસર કરી શકે છે.

બાયિંગ શોપિંગ ડિસઓર્ડરના લક્ષણો?

  • વારંવાર શોપિંગ વેબસાઇટ્સ અથવા એપ્સ તપાસવી, એવી વસ્તુઓ ખરીદવી જે જરૂરી નથી.
  • શોપિંગ પછી પસ્તાવો કે અપરાધભાવ અનુભવવો.
  • મૂડ સુધારવા અથવા તણાવ દૂર કરવા માટે ખરીદી કરવી.
  • ક્રેડિટ કાર્ડ કે લોનનો સતત દુરુપયોગ.
  • આર્થિક મુશ્કેલીઓ છતાં ખરીદી બંધ ન કરી શકવી.
  • ખરીદી કર્યા પછી વસ્તુઓનો ઉપયોગ ન કરવો કે છુપાવી ન રાખવી.

કેવી રીતે અટકાવવું:

  1. મનોરોગ ચિકિત્સા / કાઉન્સેલિંગ – ખાસ કરીને Cognitive Behavioral Therapy (CBT) નો ઉપયોગ વિચાર અને વર્તન બદલવા માટે થાય છે.
  2. સૌ પ્રથમ, તમારા ફોનમાંથી ઓનલાઈન શોપિંગ એપ્સ દૂર કરો. તમે થોડા સમય માટે બેચેની અનુભવશો પરંતુ ધીમે ધીમે તમે તમારામાં ફેરફાર અનુભવશો.
  3. ફોન અને કોમ્પ્યુટર માટે સમય નક્કી કરો. આખો સમય તેમની સાથે ન રહો. આનાથી ધ્યાન હટાવવા માટે, પેઇન્ટિંગ, પુસ્તક વાંચન, બાગકામ અથવા નૃત્ય જેવા અન્ય મનપસંદ કામ પર ધ્યાન કેન્દ્રિત કરો.
  4. પરિવારના સભ્યો, મિત્રો સાથે બેસો, તમારી જાતને લાંબા સમય સુધી એકલા ન રહેવા દો.
  5. જો તમે થોડી ખરીદી કરવા માંગતા હો, તો તમારા પરિવાર સાથે ખરીદી કરો અને વસ્તુઓ વિશે તેમનો અભિપ્રાય લો. આમ કરવાથી, તમે બિનજરૂરી ખર્ચ નહીં કરો, તમે ફક્ત જરૂરી વસ્તુઓ જ ખરીદશો.
  6. જો તમે ઓનલાઈન ખરીદી કરી રહ્યા છો, તો રકમ રોકડમાં ચૂકવો અને ક્રેડિટ કાર્ડ દ્વારા નહીં. આમ કરવાથી, તમને ખબર પડશે કે તમે કેટલા રૂપિયા ખર્ચ્યા છે.

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.