AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : દહીં સાથે આ વસ્તુઓનું સેવન ન કરશો, નહીં તો પસ્તાશો

Health Tips : દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે. તેઓ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પરંતુ દહીં સાથે કેટલીક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

Health Tips : દહીં સાથે આ વસ્તુઓનું સેવન ન કરશો, નહીં તો પસ્તાશો
Health tips for consuming curd (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 6:22 PM
Share

ઉનાળામાં દહીંનું લોકપ્રિય રીતે સેવન કરવામાં આવે છે. તે શરીરને ઠંડુ કરવાનું કામ કરે છે. તમે ઘણી રીતે દહીંનું સેવન કરી શકો છો. તમે તેને મીઠી લસ્સી અથવા ઠંડી છાશના રૂપમાં ખાઈ શકો છો. તમે રાયતા, દહીં ભાત અને દહીં ભલેના રૂપમાં પણ દહીંનું સેવન કરી શકો છો. દહીં કોઈપણ વાનગીનો સ્વાદ વધારે છે. તે સારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. દહીંમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં સારા બેક્ટેરિયા હોય છે. તેઓ તમારા પાચનતંત્ર (Digestive System)ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સ્વસ્થ રહેવા માટે તમે દહીંને ડાયટમાં સામેલ કરી શકો છો. પરંતુ કેટલીક વસ્તુઓ સાથે તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જેનું દહીં (Curd) સાથે સેવન ન કરવું જોઈએ.

ડુંગળી અને દહીં

ઘણા લોકો દહીં અને ડુંગળીના રાયતાનું સેવન કરે છે. આ બંને વસ્તુઓનું એકસાથે સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. જેના કારણે ખરજવું, સ્કિન એલર્જી, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

માછલી અને દહીં

દહીં સાથે માછલી ખાવાનું ટાળો. આ બંનેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. નિષ્ણાતોના મતે બે પ્રોટીનયુક્ત વસ્તુઓ એકસાથે ન ખાવી જોઈએ. આ બંનેનું એકસાથે સેવન કરવાથી અપચો અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

દૂધ અને દહીં

દહીં માત્ર દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પરંતુ આ બંને વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. જેના કારણે ઝાડા, એસિડિટી, પેટનું ફૂલવું અને ગેસની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

અડદની દાળ અને દહીં

એક રિપોર્ટ અનુસાર અડદની દાળ સાથે દહીંનું સેવન ન કરવું જોઈએ. આ બંનેનું એકસાથે સેવન કરવાથી પાચનતંત્ર બગડી શકે છે. અપચો, ઝાડા અને પેટનું ફૂલવું સમસ્યા હોઈ શકે છે.

તેલયુક્ત ખોરાક સાથે દહીંનું સેવન કરવું

ઘણા લોકો ઘી અને બટર પરાઠા સાથે દહીંનું સેવન કરે છે. આ બંનેનું એકસાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. દહીં સાથે તેલયુક્ત વસ્તુઓનું સેવન કરવાથી પાચનક્રિયા ધીમી પડે છે. તેનાથી તમે દિવસભર આળસ અનુભવો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">