AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકીય મહાનુભાવોને અંતિમ વિદાય વખતે કેમ ’21 તોપો’ની સલામી આપવામાં આવે છે?

ભારતમાં સ્વતંત્રતા દિવસ હોય કે પ્રજાસત્તાક દિવસ હોય, ખાસ દિવસની શરૂઆત 21 તોપની સલામીથી જ થાય છે. જાણવા જેવું છે કે, રામનાથ કોવિંદ જ્યારે પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પહેલીવાર રાષ્ટ્રપતિ ભવનમાં 21 તોપોની સલામી આપવામાં આવી હતી. એવામાં ચાલો જાણીએ કે, 21 તોપોની સલામી કોને અને કેમ આપવામાં આવે છે.

રાજકીય મહાનુભાવોને અંતિમ વિદાય વખતે કેમ '21 તોપો'ની સલામી આપવામાં આવે છે?
| Updated on: Jun 16, 2025 | 8:07 PM
Share

ભારતમાં સ્વતંત્રતા દિવસ હોય કે પ્રજાસત્તાક દિવસ તેની શરૂઆત 21 તોપની સલામીથી જ થાય છે. તમને જણાવી દઈએ કે, સૌપ્રથમવાર આ તોપ ચલાવવાની પરંપરા 14મી સદીમાં શરૂ થઈ હતી. એવામાં ચાલો જાણીએ કે, 21 તોપોની સલામી કોને અને કેમ આપવામાં આવે છે.

કોને-કોને અપાય છે ’21’ તોપોની સલામી?

ભારતમાં રાષ્ટ્રપતિ, સૈન્ય પ્રમુખો અને વરિષ્ઠ નેતાઓના અંતિમ સંસ્કાર દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવે છે. તદુપરાંત ઉચ્ચ રેન્કના સૈન્ય અધિકારીઓ જેમ કે નેવી, આર્મી અને એરફોર્સના ચીફને 17 તોપોની સલામી આપવાની પરંપરા છે.

જણાવી દઈએ કે, રાજકીય સન્માનમાં મૃતદેહને તિરંગાથી લપેટી લેવામાં આવે છે. રાજકીય સન્માન માટે પસંદ થયેલી વ્યક્તિના અંતિમ સંસ્કારની તમામ વ્યવસ્થા રાજ્ય કે કેન્દ્ર સરકાર કરે છે. આ દરમિયાન બંદૂક વડે પણ સલામી આપવામાં આવે છે.

નિયમમાં થયો હતો ફેરફાર

અગાઉ આવું સન્માન ફક્ત વર્તમાન કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીઓને મળતું હતું. જો કે, હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાત એમ છે કે, રાજકીય સન્માન કોણે આપવું તે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.

હાલની વાત કરીએ તો, સાહિત્ય, કલા, વિજ્ઞાન કે કાયદા ક્ષેત્રે જે લોકો યોગદાન આપે છે તેમના નિધન પર રાજકીય સન્માન આપવામાં આવે છે અને તેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.

કેમ આપવામાં આવે છે ’21’ તોપોની સલામી?

21 તોપોની સલામી મહાનુભાવોના પ્રત્યે શ્રદ્ધાંજલિ અને રાષ્ટ્રીય માન-સન્માન વ્યક્ત કરવા માટે આપવામાં આવે છે. જ્યારે મહાનુભાવોનું અવસાન થાય છે, ત્યારે તેમના અંતિમ સંસ્કારમાં દેશ તરફથી આ ખાસ માન આપવામાં આવે છે.

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે.  જનરલ નોલેજના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">