જો ઓરીજીનલ NSC ખોવાઈ કે ચોરી થઈ જાય તો? આ પ્રક્રિયા અનુસરો તમારું રોકાણ સલામત રહેશે

|

Apr 28, 2022 | 1:09 PM

તમે NSCમાં રોકાણ કરવા માટે રૂ. 100, રૂ. 500, રૂ. 5000 અને રૂ. 10000નું નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ ખરીદી શકો છો. આ તમારી મૂળ રકમ હશે જ્યારે વ્યાજની રકમ તેમાં દર વર્ષે ઉમેરવામાં આવશે.

જો ઓરીજીનલ NSC ખોવાઈ કે ચોરી થઈ જાય તો? આ પ્રક્રિયા અનુસરો તમારું રોકાણ સલામત રહેશે
India Post GDS Recruitment 2022

Follow us on

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)ને રોકાણનું શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે. NSC સારા વળતર અને જમા નાણાંની સુરક્ષાના સંદર્ભમાં ખૂબ જ લોકપ્રિય યોજના છે. આ સ્કીમ પોસ્ટ ઓફિસ (Post Office) દ્વારા ચલાવવામાં આવતી હોવાથી લોકો આંખ બંધ કરી રોકાણ કરે છે. છેલ્લા ઘણા સમયથી તેનો વ્યાજ દર 6.8 ટકા પર સ્થિર છે. આ વ્યાજ દર 2020-21ના ચોથા ક્વાર્ટરથી ચાલી રહ્યો છે. જો કે તે પહેલા 7.9 ટકા અને તે પહેલા પણ 2018-19માં 8 ટકા વ્યાજ મળતું હતું. હાલમાં ભલે NSC વ્યાજ દર(NSC Interest Rate)માં ઘટાડો થયો હોય પરંતુ લોકોનો તેના પર વિશ્વાસ યથાવત છે.

નાણા મંત્રાલય દ્વારા દર ત્રિમાસિક ગાળામાં NSCનો વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. જો તમે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં રોકાણ કરો છો તો વાર્ષિક ધોરણે તમારા ખાતામાં વ્યાજ જમા થાય છે. કર બચત માટે તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી NSC ખરીદી શકો છો. તે પ્રમાણપત્રના સ્વરૂપમાં રોકાણ કરવામાં આવે છે તેથી તે ખોવાઈ જવા અથવા ચોરાઈ જવાનો ભય રહે છે. આ પ્રમાણપત્ર પાસે ન હોય તો તેવી સ્થિતિમાં શું કરવું?

પહેલા ચાલો જાણીએ NSCની કેટલીક વિશેષતાઓ વિશે. આ પ્રમાણપત્ર 5 વર્ષ માટે આવે છે. જે પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય છે. આમાં રોકાણની ન્યૂનતમ રકમ 1000 રૂપિયા છે અને તમે ઇચ્છો તેટલી રકમ જમા કરાવી શકો છો. તે કર બચતનું એક સારું માધ્યમ છે કારણ કે તે રૂ. 1.5 લાખ સુધીની કર મુક્તિ આપે છે. એટલે કે NSCમાં 1.5 લાખ રૂપિયા જમા કરીને તમે તેના પર ટેક્સ છૂટ લઈ શકો છો. તમારે તેને તમારા ટેક્સ રિટર્નમાં દર્શાવવું પડશે. સૌથી મહત્વની બાબત એ છે કે વ્યાજ વાર્ષિક ધોરણે જમા કરવામાં આવે છે પરંતુ TDS કાપ્યા વિના વ્યાજ તમને પાકતી મુદતના સમયે ચૂકવવામાં આવે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જાણો NSC વિશે

તમે NSCમાં રોકાણ કરવા માટે રૂ. 100, રૂ. 500, રૂ. 5000 અને રૂ. 10000નું નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ ખરીદી શકો છો. આ તમારી મૂળ રકમ હશે જ્યારે વ્યાજની રકમ તેમાં દર વર્ષે ઉમેરવામાં આવશે. બેંક અથવા NBFC પાસે NSC ગીરવે મૂકીને લોન લઈ શકાય છે. આમાં નોમિની બનાવવાની પણ સુવિધા છે.

હવે ચાલો જાણીએ કે જો NSC સર્ટિફિકેટ ચોરાઈ જાય અથવા ક્યાંક ખોવાઈ જાય તો શું કરવું? પેપર રોકાણનું માધ્યમ હોવાથી તે ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આવી સ્થિતિમાં સરકારે ડુપ્લિકેટ NSC પત્રો જારી કરવાનો નિયમ પણ બનાવ્યો છે. ઘણી વખત એવું પણ બને છે કે લાંબા સમય સુધી રાખવામાં આવે તો NSC નો અસલ લેટર બગડી જાય છે. આવી સ્થિતિમાં તમે ડુપ્લિકેટ NSC પત્ર જારી કરી શકો છો.

ડુપ્લિકેટ NSC કેવી રીતે ઈશ્યુ કરવામાં આવે છે?

આ માટે તમારે પોસ્ટ ઓફિસમાં ફોર્મ ભરવાનું રહેશે જ્યાંથી તમે NSC લીધું છે. ફોર્મમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવી પડશે જેમ કે પ્રમાણપત્રનો સીરીયલ નંબર અને NSCમાં કેટલા પૈસા જમા થયા છે. ફોર્મમાં તમે જે દિવસે પોસ્ટ ઓફિસમાંથી NSC ખરીદ્યું હતું તે દિવસે સાચી તારીખ લખવાની રહેશે. ફોર્મમાં તમારે સ્પષ્ટપણે લખવું પડશે કે ડુપ્લિકેટ NSC શા માટે ઈશ્યુ કરવામાં આવે છે. ચોરી, ખોવાઈ કે પત્ર નુકસાન?જણાવવું પડશે. જો આવું કંઈ થાય તો તેનો પત્રમાં ઉલ્લેખ કરવો જરૂરી છે. ફોર્મ તપાસ્યા પછી તમને ડુપ્લિકેટ NSC જારી કરવામાં આવે છે.

આ પણ વાંચો : FD Interest Rate : શું તમે ફિક્સ ડીપોઝીટમાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? અહીં જાણો તમને કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે

આ પણ વાંચો : Aadhaar Card : શું તમારા આધાર કાર્ડ સાથે કોઈ છેતરપિંડી તો નથી થઇ રહીં ને!!! આ રીતે ખાતરી કરો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article