માલી જઈ રહેલા પ્લેનમાંથી નીકળ્યો ધુમાડો, કોઈમ્બતુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું

|

Aug 12, 2022 | 7:55 PM

શુક્રવારે ધુમાડાની ચેતવણીને કારણે માલી જતી ખાનગી એરલાઈન્સના વિમાનને કોઈમ્બતુર એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું.

માલી જઈ રહેલા પ્લેનમાંથી નીકળ્યો ધુમાડો, કોઈમ્બતુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું
ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
Image Credit source: સાંકેતિક તસ્વીર

Follow us on

શુક્રવારે ધુમાડાની ચેતવણીને કારણે માલી જતી ખાનગી એરલાઈન્સના વિમાનને કોઈમ્બતુર એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. બેંગ્લોરથી માલી જઈ રહેલી આ ફ્લાઈટમાં 92 મુસાફરો સવાર હતા. વિમાન એરપોર્ટ પર સલામત રીતે ઉતર્યું અને ‘એપ્રોન’ (પાર્કિંગ)માં પાર્ક કરવામાં આવ્યું. સૂત્રોએ વધુ માહિતી આપ્યા વિના જણાવ્યું કે પાયલટના કહેવા પ્રમાણે વિમાનનું સંચાલન સામાન્ય છે. કહેવામાં આવી રહ્યું છે કે એરક્રાફ્ટના એન્જિનમાં કેટલીક ટેકનિકલ ખામીના કારણે પ્લેનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. પ્લેનનું ટ્વીન એન્જિન કથિત રીતે વધારે ગરમ થઈ ગયું હતું અને તેના કારણે પ્લેનની એલાર્મ સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

એન્જિનિયરોએ એન્જીન ચેક કર્યું અને કહ્યું કે એલાર્મમાં કોઈ ‘ફોલ્ટ’ છે અને એ પણ કહ્યું કે પ્લેન ટેક ઓફ કરવા માટે એકદમ ઠીક છે. ફ્લાઈટ ગો ફર્સ્ટની હતી જે માલી જઈ રહી હતી. જ્યારે ગોફર્સ્ટના પ્રવક્તાને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. GoAirની એન્જિનિયરિંગ ટીમ તપાસમાં સામેલ છે અને ખામીને સુધારવામાં આવી રહી છે.

સિંધિયાએ સુરક્ષાને લઈને કડક સૂચના આપી હતી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભૂતકાળમાં ઈન્ડિગો, સ્પાઈસ જેટ અને એર ઈન્ડિયાના અનેક એરક્રાફ્ટ આવી ઘટનાઓનો ભોગ બન્યા છે. ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ સંબંધમાં એક બેઠક યોજી હતી અને છેલ્લા કેટલાક મહિનામાં આવા કેસોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે એરલાઈન્સ કંપનીઓને સુરક્ષા વ્યવસ્થા અંગે કડક સૂચના આપી હતી જેથી કરીને આવા કિસ્સાઓ સામે ન આવે. ગયા અઠવાડિયે જ અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયેલા ગો ફર્સ્ટ પ્લેન સાથે એક પક્ષી અથડાયું હતું, જેને પાછળથી રિટર્ન લેન્ડિંગ કરવું પડ્યું હતું.

પક્ષીઓની ટક્કરથી અનેક વિમાનોને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું

20 જૂને પટનાથી દિલ્હી આવી રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં આગ લાગી હતી. ટેકઓફ બાદ તરત જ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે પ્લેન એક પક્ષી સાથે અથડાયું હતું અને તેના કારણે પ્લેનમાં આગ લાગી હતી. રિપોર્ટ અનુસાર, તે જ દિવસે ગુવાહાટી એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટને ટેક ઓફ કર્યા બાદ તરત જ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. બાદમાં જાણવા મળ્યું કે એક પક્ષી પણ ઈન્ડિગો પ્લેન સાથે અથડાયું હતું.

Next Article