આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાને ભારતની મોટી મદદ, પાડોશી દેશને 21,000 ટન ખાતર મોકલ્યું

|

Aug 22, 2022 | 5:19 PM

ભારતે વિશેષ સહાયતા કાર્યક્રમ હેઠળ શ્રીલંકાને 21,000 ટન ખાતર આપ્યું છે. આ પગલું પાડોશી દેશના ખેડૂતોને મદદ કરશે અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે.

આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાને ભારતની મોટી મદદ, પાડોશી દેશને 21,000 ટન ખાતર મોકલ્યું
ભારતે વિશેષ સહાયતા કાર્યક્રમ હેઠળ શ્રીલંકાને 21,000 ટન ખાતર આપ્યું

Follow us on

ભારતે (india) સોમવારે એક વિશેષ સહાય કાર્યક્રમ હેઠળ (sri lanka)શ્રીલંકાને 21,000 ટન ખાતરનો જથ્થો આપ્યો છે. આ પગલું પાડોશી દેશના ખેડૂતોને (farmers) મદદ કરશે અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે. તાજેતરના મહિનાઓમાં ભારત દ્વારા સંકટગ્રસ્ત શ્રીલંકાને આપવામાં આવેલી આ બીજી સહાય છે. ભારતીય હાઈ કમિશને એક ટ્વિટમાં કહ્યું કે મિત્રતા અને સહયોગના સંબંધોને આગળ લઈ જવામાં આવ્યા. હાઈ કમિશનર (ગોપાલ બગાલે) એ ભારતના વિશેષ સમર્થન હેઠળ શ્રીલંકાના લોકોને ઔપચારિક રીતે 21,000 ટન ખાતર પૂરુ પાડ્યું છે.

ભારતે કુલ ચાર અબજ ડૉલરની સહાય આપી

અગાઉ ગયા મહિને 44,000 ટન સપ્લાય કરવામાં આવ્યું હતું. આ પુરવઠો ભારત દ્વારા 2022માં કુલ ચાર અબજ ડોલરની સહાય હેઠળ કરવામાં આવ્યો છે. ભારતીય હાઈ કમિશને કહ્યું કે ખાતરના પુરવઠાથી ખાદ્ય સુરક્ષામાં વધારો થશે. અને શ્રીલંકાના ખેડૂતોને મદદ મળશે. આ પગલું ભારત સાથેના ગાઢ સંબંધો અને ભારત અને શ્રીલંકા વચ્ચેના પરસ્પર વિશ્વાસ અને સદ્ભાવનાને દર્શાવે છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ભારતે મે મહિનામાં શ્રીલંકાને વર્તમાન કૃષિ સિઝનમાં કોઈપણ વિક્ષેપને ટાળવા માટે 65,000 ટન યુરિયાની સપ્લાય કરવાની ખાતરી આપી હતી. શ્રીલંકા અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે ઈંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ છે.

શ્રીલંકાએ ભારત સાથે દગો કર્યો

આ સિવાય તમને જણાવી દઈએ કે ભારતના વાંધો છતાં આખરે ચીનની ગુપ્તચર જહાજ શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર પહોંચી ગયું હતું. આ કોઈ સામાન્ય જહાજ નથી. તેની પોતાની ઘણી વિશેષતાઓ છે, જેના કારણે તેને ગુપ્તચર જહાજ કહેવામાં આવે છે. શ્રીલંકન સરકારના જણાવ્યા અનુસાર, ચીનનું જાસૂસી જહાજ 16 થી 22 ઓગસ્ટ સુધી હંબનટોટા બંદર પર રોકાશે, આ માટે પરવાનગી પણ આપવામાં આવી છે. સેટેલાઇટ અને મિસાઇલ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ આ જાસૂસી જહાજની પોતાની ઘણી વિશેષતાઓ છે જે ભારત માટે મુશ્કેલીઓ વધારી શકે છે.

ચીનના જહાજના શ્રીલંકાના આગમનની માહિતી મળતાં જ ભારત સરકારે વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ શ્રીલંકાએ મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. બાદમાં શ્રીલંકાએ ચીનના જહાજને હંબનટોટા બંદરે પહોંચવાની મંજૂરી આપી હતી. આ ત્યારે છે જ્યારે ગરીબી સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાએ ભારતમાં ઘણી મદદ કરી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Next Article