ચીન: ચાંગચુન શહેરમાં રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળી, 17ના મોત, ત્રણ ઘાયલ

|

Sep 28, 2022 | 4:11 PM

આગને (fire)કાબુમાં લેવા માટે અનેક ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા, જેમાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવામાં આવી રહ્યું છે.

ચીન: ચાંગચુન શહેરમાં રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળી, 17ના મોત, ત્રણ ઘાયલ
સાંકેતિક તસ્વીર

Follow us on

ચીનના (China)જિલિન પ્રાંતના ચાંગચુન શહેરમાં બુધવારે એક રેસ્ટોરન્ટમાં (Restaurant) આગ (FIRE)ફાટી નીકળી હતી, જેમાં 17 લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. માહિતી આપતાં ચાંગચુન ન્યૂ એરિયા ઈન્ડસ્ટ્રીયલ એરિયાની મેનેજમેન્ટ કમિટીએ જણાવ્યું કે ઉત્તર-પૂર્વ ચીનના ચાંગચુન શહેરમાં બુધવારે એક રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં 17 લોકોના મોત થયા છે. સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલી પોસ્ટમાં સમિતિએ કહ્યું કે ચાંગચુન ન્યૂ એરિયા ઈન્ડસ્ટ્રીયલ એરિયાના હાઈટેક વિસ્તારમાં બુધવારે બપોરે 12.40 વાગ્યે આગ લાગી હતી. પોસ્ટ અનુસાર, અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ચાંગચુન એ ચીનના જિલિન પ્રાંતની રાજધાની છે અને તે વાહન ઉત્પાદન હબ તરીકે ઓળખાય છે. આગને કાબુમાં લેવા માટે અનેક ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા, જેમાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે બપોરે 3 વાગ્યા સુધીમાં બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હતી.

આગ લાગવાના સમાચાર અનેક વખત સામે આવી ચૂક્યા છે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પહેલા પણ ચીનમાં ઘણી વખત આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં, એક ગગનચુંબી ઈમારતના એક ભાગને ભીષણ આગ લાગી હતી જેમાં મધ્ય શહેર ચાંગશામાં સરકારી ટેલિકોમ્યુનિકેશન્સ જાયન્ટ ચાઈના ટેલિકોમનું કાર્યાલય હતું. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. તે જ સમયે, રાજ્ય મીડિયાના અહેવાલો અનુસાર, ગયા વર્ષે જુલાઈમાં, પૂર્વોત્તર જિલિન પ્રાંતમાં એક વેરહાઉસમાં આગ લાગવાથી 15 લોકો માર્યા ગયા હતા અને 25 અન્ય ઘાયલ થયા હતા.

એક મહિના અગાઉ, સેન્ટ્રલ હેનાન પ્રાંતમાં માર્શલ આર્ટ સ્કૂલમાં લાગેલી આગમાં 18 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગે બાળકો હતા, જેણે ફાયર સેફ્ટીના ધોરણો અંગે હોબાળો મચાવ્યો હતો.

Published On - 4:11 pm, Wed, 28 September 22

Next Article