Nepal: કૃષિ મંત્રી સહિત 4 મંત્રીઓને બરતરફ કરાયા, PM દેઉબાએ મંત્રીઓને સરકારમાંથી હટાવ્યા

Nepalના ચૂંટણી પંચની આચારસંહિતા અનુસાર, આ મંત્રીઓને બરતરફ કર્યા પછી પણ વડાપ્રધાન નવા મંત્રીઓની નિમણૂક કરે તેવી શક્યતા ઓછી છે. જો આમ થશે તો તે ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાશે.

Nepal: કૃષિ મંત્રી સહિત 4 મંત્રીઓને બરતરફ કરાયા, PM દેઉબાએ મંત્રીઓને સરકારમાંથી હટાવ્યા
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 3:17 PM

Nepalના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ (Prime Minister Sher Bahadur Deuba) ગુરુવારે જનતા સમાજવાદી પાર્ટી (JSP)ના ચાર મંત્રીઓને બરતરફ કર્યા છે. આગામી મહિને દેશની સામાન્ય ચૂંટણીઓ માટે CPN-UML સાથે કરાર કરવા માટે હાથ મિલાવ્યા બાદ જેએસપીએ ગયા અઠવાડિયે શાસક ગઠબંધન છોડી દીધું હતું. નેપાળમાં સંઘીય સંસદ અને પ્રાંતીય એસેમ્બલીની ચૂંટણી 20 નવેમ્બરે થવાની છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

માહિતી આપતા કાઠમંડુ પોસ્ટ અખબારે ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિ કાર્યાલયમાંથી જાહેર કરાયેલા નિવેદનને ટાંકીને લખ્યું કે, “વડાપ્રધાનની ભલામણ પર, રાષ્ટ્રપતિએ ચાર મંત્રીઓને તેમની ફરજોમાંથી મુક્ત કર્યા છે.”

બરતરફ કરાયેલા મંત્રીઓમાં કૃષિ અને પર્યાવરણ મંત્રીનો પણ સમાવેશ થાય છે

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વડા પ્રધાન દેઉબાએ જે ચાર પ્રધાનોને બરતરફ કર્યા છે તેમાં સંઘીય બાબતો અને સામાન્ય વહીવટી બાબતોના પ્રધાન રાજેન્દ્ર શ્રેષ્ઠા, વન અને પર્યાવરણ પ્રધાન પ્રદીપ યાદવ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રધાન મોહમ્મદ ઈસ્તિયાક રાય અને કૃષિ અને પશુ પ્રધાન મૃગેન્દ્ર કુમાર સિંહનો સમાવેશ થાય છે. નેપાળ ચૂંટણી પંચની આચારસંહિતા અનુસાર, આ મંત્રીઓને બરતરફ કર્યા પછી પણ વડાપ્રધાન નવા મંત્રીઓની નિમણૂક કરે તેવી શક્યતા ઓછી છે. ચૂંટણી પંચના મતે કેબિનેટમાં નવી નિમણૂંકો ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન હશે. નોંધપાત્ર રીતે, JSP નેતાઓએ દલીલ કરી હતી કે તેઓએ સરકાર છોડી નથી, માત્ર કેટલીક બેઠકો પર ચૂંટણી માટે UML સાથે હાથ મિલાવ્યા છે.

આવતા મહિને ફેડરલ ચૂંટણી યોજાવાની છે

અખબારના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન દેઉબાએ આ મુદ્દા પર સીપીએન (માઓઈસ્ટ સેન્ટ્રલ), સીપીએન (યુનાઈટેડ સોશ્યલિસ્ટ) અને રાષ્ટ્રીય જન મોરચા સાથે ચર્ચા કરી હતી. સમાચાર અનુસાર, દેઉબા મંત્રીઓને બરતરફ કરવાનો ઇરાદો ધરાવતા હતા, પરંતુ ગઠબંધન ભાગીદારો વચ્ચે કોઈ સહમતિ ન હતી.

કેટલાક નેતાઓએ તો મંત્રીઓને તેમની ફરજોમાંથી મુક્ત કરીને ખાતા વગરના મંત્રી બનાવવાની સલાહ પણ આપી હતી. નેપાળમાં આ સમયે ચૂંટણીને લઈને સક્રિયતા વધી છે અને રાજકીય પક્ષો ત્યાં પ્રચારમાં વ્યસ્ત છે. નેપાળમાં સંઘીય સંસદ અને પ્રાંતીય એસેમ્બલીની ચૂંટણી આવતા મહિને 20 નવેમ્બરે થવાની છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">