AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nepal: કૃષિ મંત્રી સહિત 4 મંત્રીઓને બરતરફ કરાયા, PM દેઉબાએ મંત્રીઓને સરકારમાંથી હટાવ્યા

Nepalના ચૂંટણી પંચની આચારસંહિતા અનુસાર, આ મંત્રીઓને બરતરફ કર્યા પછી પણ વડાપ્રધાન નવા મંત્રીઓની નિમણૂક કરે તેવી શક્યતા ઓછી છે. જો આમ થશે તો તે ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાશે.

Nepal: કૃષિ મંત્રી સહિત 4 મંત્રીઓને બરતરફ કરાયા, PM દેઉબાએ મંત્રીઓને સરકારમાંથી હટાવ્યા
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 3:17 PM
Share

Nepalના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ (Prime Minister Sher Bahadur Deuba) ગુરુવારે જનતા સમાજવાદી પાર્ટી (JSP)ના ચાર મંત્રીઓને બરતરફ કર્યા છે. આગામી મહિને દેશની સામાન્ય ચૂંટણીઓ માટે CPN-UML સાથે કરાર કરવા માટે હાથ મિલાવ્યા બાદ જેએસપીએ ગયા અઠવાડિયે શાસક ગઠબંધન છોડી દીધું હતું. નેપાળમાં સંઘીય સંસદ અને પ્રાંતીય એસેમ્બલીની ચૂંટણી 20 નવેમ્બરે થવાની છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

માહિતી આપતા કાઠમંડુ પોસ્ટ અખબારે ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિ કાર્યાલયમાંથી જાહેર કરાયેલા નિવેદનને ટાંકીને લખ્યું કે, “વડાપ્રધાનની ભલામણ પર, રાષ્ટ્રપતિએ ચાર મંત્રીઓને તેમની ફરજોમાંથી મુક્ત કર્યા છે.”

બરતરફ કરાયેલા મંત્રીઓમાં કૃષિ અને પર્યાવરણ મંત્રીનો પણ સમાવેશ થાય છે

વડા પ્રધાન દેઉબાએ જે ચાર પ્રધાનોને બરતરફ કર્યા છે તેમાં સંઘીય બાબતો અને સામાન્ય વહીવટી બાબતોના પ્રધાન રાજેન્દ્ર શ્રેષ્ઠા, વન અને પર્યાવરણ પ્રધાન પ્રદીપ યાદવ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રધાન મોહમ્મદ ઈસ્તિયાક રાય અને કૃષિ અને પશુ પ્રધાન મૃગેન્દ્ર કુમાર સિંહનો સમાવેશ થાય છે. નેપાળ ચૂંટણી પંચની આચારસંહિતા અનુસાર, આ મંત્રીઓને બરતરફ કર્યા પછી પણ વડાપ્રધાન નવા મંત્રીઓની નિમણૂક કરે તેવી શક્યતા ઓછી છે. ચૂંટણી પંચના મતે કેબિનેટમાં નવી નિમણૂંકો ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન હશે. નોંધપાત્ર રીતે, JSP નેતાઓએ દલીલ કરી હતી કે તેઓએ સરકાર છોડી નથી, માત્ર કેટલીક બેઠકો પર ચૂંટણી માટે UML સાથે હાથ મિલાવ્યા છે.

આવતા મહિને ફેડરલ ચૂંટણી યોજાવાની છે

અખબારના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન દેઉબાએ આ મુદ્દા પર સીપીએન (માઓઈસ્ટ સેન્ટ્રલ), સીપીએન (યુનાઈટેડ સોશ્યલિસ્ટ) અને રાષ્ટ્રીય જન મોરચા સાથે ચર્ચા કરી હતી. સમાચાર અનુસાર, દેઉબા મંત્રીઓને બરતરફ કરવાનો ઇરાદો ધરાવતા હતા, પરંતુ ગઠબંધન ભાગીદારો વચ્ચે કોઈ સહમતિ ન હતી.

કેટલાક નેતાઓએ તો મંત્રીઓને તેમની ફરજોમાંથી મુક્ત કરીને ખાતા વગરના મંત્રી બનાવવાની સલાહ પણ આપી હતી. નેપાળમાં આ સમયે ચૂંટણીને લઈને સક્રિયતા વધી છે અને રાજકીય પક્ષો ત્યાં પ્રચારમાં વ્યસ્ત છે. નેપાળમાં સંઘીય સંસદ અને પ્રાંતીય એસેમ્બલીની ચૂંટણી આવતા મહિને 20 નવેમ્બરે થવાની છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">