લગ્ન પહેલા સેક્સ વિશે પોપ ફ્રાન્સિસે શું કહ્યું ? વેટિકનની આ નવી માર્ગદર્શિકાએ મચાવ્યો હોબાળો

ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે (Pope Francis) એક વખત આવું નિવેદન આપ્યું છે, જેના કારણે હોબાળો મચી ગયો છે. તેમણે કહ્યું છે કે લગ્ન પહેલા સેક્સનો ઇનકાર કરવો એ સાચા પ્રેમની નિશાની છે.

લગ્ન પહેલા સેક્સ વિશે પોપ ફ્રાન્સિસે શું કહ્યું ? વેટિકનની આ નવી માર્ગદર્શિકાએ મચાવ્યો હોબાળો
Pope Francis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 12:06 PM

ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે (Pope Francis) ફરી એકવાર આવું નિવેદન આપ્યું છે, જેના કારણે હોબાળો મચી ગયો છે. વાસ્તવમાં, તેમણે કહ્યું છે કે લગ્ન પહેલા સેક્સનો ઇનકાર કરવો એ સાચા પ્રેમની નિશાની છે. 85 વર્ષીય પોપે એક નિવેદનમાં કહ્યું કે જેઓ લગ્ન પહેલા સેક્સ પર પ્રતિબંધ મૂકે છે તે તેમના સાચા પ્રેમની નિશાની છે. તેમની ટિપ્પણીના જવાબમાં ઇટાલિયન ધર્મશાસ્ત્રી વિટો માનકુસોએ (Vito Mancuso) કહ્યું કે પોપના નિવેદનથી સંબંધમાં સેક્સનું મહત્વ ઘટી ગયું છે. તેમના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઘણા લોકોએ તેને સાચો ગણાવ્યો છે. જ્યારે ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો છે.

97 પેજની વેટિકનની નવી ગાઈડલાઈનમાં (Vatican’s new guideline) દાવો કરવામાં આવ્યો છે કે સેક્સ, સ્ટ્રેસ કે દબાણને કારણે કપલ્સના સંબંધો આજકાલ ઝડપથી તૂટી જાય છે. પોપ ફ્રાન્સિસ માને છે કે લગ્ન સુધી સેક્સ ના કરવું એ તમારા સંબંધોને લાંબા સમય સુધી સાચવવા અને જાળવી રાખવાનો સારો અને આદર્શ માર્ગ છે. આ પહેલા પણ પોપ ફ્રાન્સિસ પોતાના એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે કહ્યું હતું કે જે લોકો પોતાના બાળકો કરતા પાલતુ પ્રાણીઓને વધારે પ્રેમ કરે છે, તેઓ સ્વાર્થી માનવીની શ્રેણીમાં આવે છે.

પોપ ફ્રાન્સિસના મતે, બાળક કરતાં પાલતુ પ્રાણીને વધુ પ્રેમ કરવો એ માનવતાને છીનવી શકે છે. તેમણે લોકોને સારા માતા-પિતા બનવાની સાથે સાથે બાળકો પેદા કરવા અને તેનાથી ના ડરવાની પણ અપીલ કરી હતી. પોપના મતે, બાળક હોવું એ જોખમ હોઈ શકે છે, પરંતુ બાળક ના હોવું એ તેનાથી પણ મોટું જોખમ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં બાળકને જન્મ આપવાનો ડર ના હોવો જોઈએ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

નવીન પટનાયક પોપ ફ્રાન્સિસને મળ્યા

ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે બુધવારે વેટિકન સિટીમાં (Vatican City) પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. પટનાયક અને પોપ વચ્ચેની આ બેઠકમાં પટનાયકની સાથે તેમના અંગત સચિવ વીકે પાંડિયન પણ હતા. પટનાયક ઇટાલી પ્રવાસના ત્રીજા દિવસે પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. બેઠક બાદ પટનાયકે ટ્વીટ કર્યું, ‘વેટિકન સિટીમાં આદરણીય પોપ ફ્રાન્સિસને મળીને ઘણો આનંદ થયો. આ ઉષ્માભરી મીટિંગ માટે તેમનો આભાર માન્યો અને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વેટિકનમાં રહેલા ભારતના ઘણા પાદરીઓ અને બહેનો પટનાયકને જોઈને આનંદિત થયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">