મોસ્કો આતંકી હુમલા પર અમેરિકાએ અને યુક્રેને શું કહ્યું? રશિયાને 15 દિવસ પહેલા મળી હતી ચેતવણી

|

Mar 23, 2024 | 8:10 AM

મોસ્કો આતંકી હુમલામાં 60થી વધુ લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને અમેરિકાએ કહ્યું કે તેને આ હુમલા વિશે વધુ જાણકારી નથી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે હુમલાની તસવીરો ભયાનક છે. અમારી સંવેદના પીડિતો સાથે છે.

મોસ્કો આતંકી હુમલા પર અમેરિકાએ અને યુક્રેને શું કહ્યું? રશિયાને 15 દિવસ પહેલા મળી હતી ચેતવણી

Follow us on

મોસ્કો આતંકી હુમલામાં 60થી વધુ લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને અમેરિકાએ કહ્યું કે તેને આ હુમલા વિશે વધુ જાણકારી નથી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે હુમલાની તસવીરો ભયાનક છે. અમારી સંવેદના પીડિતો સાથે છે.

મોસ્કોના શોપિંગ મોલ (ક્રોકસ સિટી હોલ)માં થયેલા આતંકવાદી હુમલાથી અમેરિકાએ પોતાને દૂર રાખ્યા છે. જ્યારે વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીને અમેરિકન દૂતાવાસના એલર્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ હુમલા સાથે અમારે કોઈ લેવાદેવા નથી. જોન કિર્બીએ કહ્યું કે, આ હિંસક ગોળીબારની ઘટના છે. તેના વિશે વધુ માહિતી નથી. અમે વધુ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ હુમલાની તસવીરો ખૂબ જ ભયાનક અને જોવી મુશ્કેલ છે. અમારી સંવેદનાઓ આ હુમલાના પીડિતો સાથે છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, અમારા દૂતાવાસે મોસ્કોમાં તમામ અમેરિકનોને કોઈ પણ મોટા મેળાવડા, કોન્સર્ટ અને શોપિંગ મોલ્સ ટાળવા માટે નોટિસ જાહેર કરી છે. તેઓ જ્યાં છે ત્યાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી

15 દિવસ પહેલા અમેરિકાએ રશિયાને ચેતવણી આપી હતી

તમને જણાવી દઈએ કે લગભગ 15 દિવસ પહેલા અમેરિકાએ રશિયાને ચેતવણી આપી હતી કે, 48 કલાકમાં મોસ્કો પર મોટો હુમલો થવા જઈ રહ્યો છે, પરંતુ તે સમયે હુમલો થયો ન હતો, પરંતુ લોકો 15 દિવસ પછી મોસ્કોમાં થયેલા આ હુમલાને અમેરિકાના તે નિવેદન સાથે જોડીને યાદ કરી રહ્યા છે.

પુતિને લોકોને ઉશ્કેરવા માટે હુમલો કર્યો-યુસોવે

બીજી તરફ યુક્રેનની ગુપ્તચર એજન્સીના પ્રવક્તા એન્ડ્રીલ યુસોવે મોસ્કો આતંકી હુમલાને લઈને મોટો દાવો કર્યો છે. યુસોવે કહ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને લોકોને ઉશ્કેરવા માટે આ આતંકી હુમલો કર્યો છે. પુતિનની સરકારે મોસ્કો પર આ હુમલો કર્યો છે. મોસ્કોના ક્રોકસ કોન્સર્ટ હોલમાં થયેલા આ આતંકી હુમલામાં 140 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

હુમલા સાથે યુક્રેનને કોઈ લેવાદેવા નથી-કિવ

આ તરફ કિવનું કહેવું છે કે કોન્સર્ટ હોલમાં થયેલા હુમલા સાથે યુક્રેનને કોઈ લેવાદેવા નથી. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે કહ્યું કે યુક્રેનને આ ઘટનાઓ સાથે કોઈ લેવાદેવા નથી. અમારી લડાઈ રશિયા અને રશિયન ફેડરેશનની નિયમિત સેના સાથે છે. રશિયા અને યુક્રેન વચ્ચે જે પણ થશે, બધું યુદ્ધના મેદાનમાં નક્કી થશે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 7:48 am, Sat, 23 March 24

Next Article