AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોઈ પ્રકારના હુમલાને સહન કરીશું નહીં, હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલા પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આપ્યું નિવેદન

અલ્બનિઝે આગળ કહ્યું કે અમે તે સુનિશ્ચિત કરવા માટે અમારી પોલીસ અને અમારી સુરક્ષા એજન્સીઓના માધ્યમથી દરેક કાર્યવાહી કરીશું. તેમને કહ્યું અમે એક સહિષ્ણુ બહુસાંસ્કૃતિક રાષ્ટ્ર છીએ અને ભૂતકાળમાં હિન્દુ મંદિરો પર જે પ્રવૃતિઓ થઈ છે તેને ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્થાન નથી.

કોઈ પ્રકારના હુમલાને સહન કરીશું નહીં, હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલા પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આપ્યું નિવેદન
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 6:22 PM
Share

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે દેશ ધાર્મિક સ્થળોની વિરૂદ્ધ કોઈ પણ હુમલાને સહન કરશે નહીં, તેમને કહ્યું કે હિન્દુ મંદિરોની વિરૂદ્ધ આ પ્રકારની કાર્યવાહી માટે કોઈ જગ્યા નથી. અલ્બનીઝે કહ્યું કે ઓસ્ટ્રેલિયા એક એવો દેશ છે, જે લોકોની આસ્થાનું સન્માન કરે છે. અમે કોઈ પ્રકારના હુમલાને સહન કરીશું નહીં. જે અમે ધાર્મિક સ્થળો પર જોયા છે, તે પછી હિન્દુ મંદિર હોય, મસ્જિદ હોય કે ચર્ચ હોય. ઓસ્ટ્રેલિયામાં કટ્ટરતા માટે કોઈ સ્થાન નથી.

અલ્બનિઝે આગળ કહ્યું કે અમે તે સુનિશ્ચિત કરવા માટે અમારી પોલીસ અને અમારી સુરક્ષા એજન્સીઓના માધ્યમથી દરેક કાર્યવાહી કરીશું. તેમને કહ્યું અમે એક સહિષ્ણુ બહુસાંસ્કૃતિક રાષ્ટ્ર છીએ અને ભૂતકાળમાં હિન્દુ મંદિરો પર જે પ્રવૃતિઓ થઈ છે તેને ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્થાન નથી.

આ પણ વાંચો: News9 Plus World Exclusive: મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ 30 વર્ષ પછી પણ પહોંચની બહાર, પાકિસ્તાનમાં ફરે છે ખુલ્લેઆમ

PM મોદીએ ઉઠાવ્યો ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાનો મુદ્દો

જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને આશ્વાસન આપ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયની સુરક્ષા તેમના માટે પ્રાથમિકતા છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. તે સ્વાભાવિક છે કે આ સમાચાર ભારતના લોકોને ચિંતિત કરે છે.

મેલબર્ન, કેરમ ડાઉન્સમાં થયો હતો હિન્દુ મંદિરો પર હુમલો

વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું હતું કે મેં આ વાત ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે શેયર કરી છે. તેમને આશ્વાસન આપ્યુ છે કે ભારતીય સમુદાયની સુરક્ષા તેમના માટે એક વિશેષ પ્રાથમિકતા છે. જણાવી દઈએ કે માર્ચમાં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી, જ્યારે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના કેરમ ડાઉન્સમાં શ્રી શિવ વિષ્ણુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.

ભારતની ડિગ્રી ઓસ્ટ્રેલિયામાં પણ માન્ય રહેશે, PM અલ્બેનિસે કહ્યું- વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપશે

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે બુધવારે સાંજે જાહેરાત કરી હતી કે તેમના દેશ અને ભારત સરકારે ઓસ્ટ્રેલિયા-ભારત શૈક્ષણિક લાયકાત માન્યતા પદ્ધતિને અંતિમ સ્વરૂપ આપ્યું છે. અલ્બેનીઝે એક કાર્યક્રમમાં સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટી ગિફ્ટ સિટી, ગાંધીનગર, ગુજરાત ખાતે આંતરરાષ્ટ્રીય શાખા કેમ્પસ સ્થાપશે. તેમણે કહ્યું કે અમારા દ્વિપક્ષીય શિક્ષણ સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મને તમને જણાવતા આનંદ થાય છે કે અમે ઓસ્ટ્રેલિયા-ભારત એજ્યુકેશન ક્વોલિફિકેશન રેકગ્નિશન મિકેનિઝમને અંતિમ સ્વરૂપ આપ્યું છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">